ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઑફ-સ્પિનર ગ્રીમ સ્વાને (Graeme Swann) યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) ને “હાલ વિશ્વનો શ્રેષ્ઠ સ્પિનર” ગણાવ્યો છે અને તે ખાસ કરીને T20 ફોર્મેટમાં. તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામે 7 જુલાઈએ રમાયેલી પ્રથમ T20 મેચમાં ચહલે 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગના આધારે ભારતે આ મેચ 50 રને જીતી લીધી હતી. સોની સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન ગ્રીમ સ્વાને કહ્યું, યુઝવેન્દ્ર ચહલ વિશ્વના શ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક છે. તેણે T20 ક્રિકેટમાં જબરદસ્ત બોલિંગ કરી છે. તમે આ મેચમાં પણ જોયું કે ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ બાકીના તમામ સ્પિનરો સામે ખુબ રન લીધા હતા. પરંતુ ચહલે ઘણી સારી બોલિંગ કરી હતી.
ગ્રીમ સ્વાને વધુમાં કહ્યું કે, આઈપીએલમાં પણ તમે જોઈ શકો છો કે તેણે માત્ર તેની બોલિંગના આધારે ટીમને ઘણી મેચોમાં જીત અપાવી છે. મેં પોતે જોયું છે કે તેની બોલિંગ પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. તેની બોલિંગમાં તેનું ઘણું નિયંત્રણ છે. ગ્રીમ સ્વાને ચહલની વધુ પ્રશંસા કરતા કહ્યું, જ્યારે તે સારી બોલિંગ કરે છે ત્યારે મને ક્યારેય આશ્ચર્ય થતું નથી. સાઉધમ્પ્ટનનું મેદાન વિશાળ છે અને તેઓએ બતાવ્યું કે અહીં પણ તેમની બોલિંગમાં કેટલી સાતત્યતા છે. તે ઘણા નિયંત્રણ સાથે બોલિંગ કરે છે.
અજીત અગરકરે પણ યુઝવેન્દ્ર ચહલના જોરદાર વખાણ કર્યા હતા. તેણે કહ્યું, જ્યારથી ચહલમાં આત્મવિશ્વાસ આવ્યો છે ત્યારથી તેણે સ્ટમ્પ પર વધુ બોલ નાખવાનું શરૂ કર્યું છે. વચ્ચે તેણે ધીમા બોલનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં બેટ્સમેન આગળ જઈને તેમને બાઉન્ડ્રી ફટકારી રહ્યા હતા. પરંતુ હવે તેણે સ્ટમ્પમાં જ બોલિંગ શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા સામે રમાયેલી સિરીઝમાં યુઝવેન્દ્ર ચહલે પ્રથમ બે ટી20 મેચમાં ખૂબ જ નિરાશાજનક બોલિંગ કરી હતી. જોકે તેણે ત્રીજી અને ચોથી મેચમાં જબરદસ્ત વાપસી કરી હતી અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતના યુવા સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમનો મુખ્ય સ્પિનર છે. ચહલ આગામી T20 વર્લ્ડ કપ 2022 ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે મુખ્ય બોલર સાબિત થશે.