
વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી એલ ક્લાસિકો મેચમાં, ચેન્નાઈના ખેલાડીઓ એક ભાવુક કારણથી હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. ટોસ અને પ્લેઈંગ ઈલેવન સંબંધિત મુખ્ય અપડેટ્સ ઉપરાંત, આ મેચ દરમિયાન શોકનું મોજું પણ જોવા મળી રહ્યુ છે.
ગુરુવારે વાનખેડે ખાતે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા ખેલાડીઓ તેમના હાથમાં હાથે કાળી પટ્ટી બાંધીને રમી રહ્યા છે. ખેલાડીઓએ આ રીતે ચેન્નાઈના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. જેનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. મેચ પહેલા, CSK મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું, “CSK પરિવાર મુકેશ ચૌધરીની માતાના અવસાન પર શોક વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં, અમે મુકેશ અને તેના પરિવાર સાથે ઉભા છીએ, અને અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે.”
મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ એક દુર્લભ ઐતિહાસિક સંયોગ જોવા મળી રહ્યો છે. IPLના બે સૌથી મોટા આઇકોન રોહિત શર્મા અને એમએસ ધોની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નથી. રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે સતત ત્રીજી મેચ થી બહાર છે. જ્યારે થાલા, એમએસ ધોની ની રાહ વધુ લંબાઈ છે; પગના સ્નાયુઓના ખેંચાણને કારણે, ધોનીને સિઝનની તેની પહેલી મેચ રમવા માટે ફિટ ન હતો.
44 વર્ષીય એમએસ ધોની અંગે, શરૂઆતની આશાઓ સૂચવે છે કે તે ફક્ત પહેલા બે અઠવાડિયા માટે જ બહાર રહેશે; જોકે, તેની રિકવરી પ્રક્રિયામાં હવે 25 દિવસ વીતી ગયા છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલ પર 8મા સ્થાને સંઘર્ષ કરી રહી છે, અને ટીમને તેના સૌથી અનુભવી ખેલાડીની ખોટ સાલતી રહી છે. ધોનીએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હોવા છતાં, મેનેજમેન્ટ, તેની સાથે કોઈ જોખમ લેવા તૈયાર ન હોવાથી, તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી કર્યો.