
Virat Kohli, One8 Commune : વિરાટ કોહલીના કારણે ચર્ચામાં રહેનાર બેંગ્લુરુંનું વન8 કમ્યૂન રેસ્ટોરન્ટ હવે બંધ થઈ ચૂક્યું છે. આ રેસ્ટોરન્ટ પર કોર્ટના આદેશ બાદ તાળા મારી દેવામાં આવ્યું છે. બેંગ્લુરુંની સિવિલ કોર્ટે વન8 કમ્યૂન રેસ્ટોરન્ટ પર તાળા મારવાનો આદેશ આપ્યો હતો. જેની પાછળનું કારણ માલિકો પર 2 કરોડો રુપિયાનું દેવું હતુ. આ રેસ્ટોરન્ટનું સંચાલન ટ્રાયો હોસ્પિટાલિટી કરી રહી હતી. જેમણે અંદાજે 6 મહિનાથી વધારેનું ભાડું ચૂકવ્યું ન હતુ.
વિરાટ કોહલીએ વન8 કોમ્યુન રેસ્ટોરન્ટ સાથેના પોતાના જોડાણનો સંપૂર્ણ અંત લાવી દીધો છે. તે એક સમયે આ રેસ્ટોરન્ટનો ચહેરો હતો. જો કે, હવે તેણે રેસ્ટોરન્ટમાં પોતાનો હિસ્સો જ નહીં પરંતુ તેના ભાગીદારીમાંથી પોતાનું બ્રાન્ડ નામ વન8 પણ દૂર કરી દીધું છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વન8 કમ્યૂને છેલ્લા 6 મહિનાનું ભાડું આપ્યું ન હતુ. પરંતુ આ સિવાય તેમણે મેન્ટેનન્સ ચાર્જ અને રેવેન્યુ શેરની રકમ પણ ચૂકવવાની બાકી હતી. વારંવાર નોટિસ આપવા છતાં કોઈ પરિણામ ન મળતાં, બિલ્ડિંગ માલિક કોર્ટમાં ગયા, જેણે આખરે રેસ્ટોરન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો.
આ કોઈ પહેલી વખત નથી. જ્યારે વન8 કમ્યૂન વિવાદમાં આવ્યું છે. આ પહેલા પણ બેંગ્લુરું મહાનગર પાલિકા તરફથી આના પર ફાયર સેફ્ટી અને બીજા નિયમોના ઉલ્લંધનને લઈ નોટિસ મોકલવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલીએ આવી જ સમસ્યાઓનો સામનો કરતા વન8 કોમ્યુનથી દુર થયો છે.
વન8 કોમ્યુન તેના દેવાની ચૂકવણી ન થાય ત્યાં સુધી બંધ રહેશે. દેવાની સમસ્યા વ્યવસાયિક નુકસાનને કારણે ઊભી થઈ હતી, જેમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો અને બ્રાન્ડ મૂલ્યમાં ઘટાડો મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવ્યા હતા.