
વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને ટીમ ઈન્ડિયાના આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે, પરંતુ તે બંનેને ભારતની અંડર-25 ટીમમાં સ્થાન મળ્યું નથી. નોંધનીય છે કે IPL 2026 પછી BCCI બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે એક ટુર્નામેન્ટનું આયોજન કરશે, જેનો હેતુ આગામી પેઢીના ટેસ્ટ સુપરસ્ટારની પસંદગી કરવાનો છે. આ ઉપરાંત, ભારતની અંડર-19 અને અંડર-25 ટીમો પણ રેડ-બોલ ટુર્નામેન્ટ માટે શ્રીલંકા જશે. વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે BCCIની અંડર-25 ટીમમાં સામેલ નથી, જેમાં 25 ખેલાડીઓનો સમાવેશ થાય છે.
IPL પછી, અંડર-25 ટીમ માટે ચાર ટીમો વચ્ચે ચાર દિવસીય મેચ રમાશે. BCCI CoE ના હેડ આ ખેલાડીઓ પર નજર રાખશે. એક અહેવાલ મુજબ, દેશના 64 ટોપના યુવા ક્રિકેટરો આ ઇન્ટ્રા-CoE ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ યુવાઓમાંથી 25 સીકે નાયડુ અને અંડર-23 ODI ટીમોમાંથી હશે. પસંદગી સમિતિ રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાંથી 25 વધુ ખેલાડીઓની પણ પસંદગી કરશે.
BCCI જે 64 ખેલાડીઓની પસંદગી કરશે તેમાંથી 25 સીકે નાયડુ અને અંડર-23 ODI ટીમોમાંથી હશે. વધુમાં, 25 ખેલાડીઓ રણજી ટ્રોફી, VHT અને SMAT ટીમોમાંથી હશે. બાકીના ટોચના 14 ખેલાડીઓ IPLમાંથી હશે. તેથી, ચાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. આયુષ મ્હાત્રે અને વૈભવ સૂર્યવંશી IPLમાં રમી રહ્યા છે, અને તેમનો 14 સભ્યોની યાદીમાં સમાવેશ લગભગ નિશ્ચિત છે. આયુષ મ્હાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમે છે, અને વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે.
આયુષ ડોસેજા, યશ ધૂલ, મયંક વર્મા, આયુષ પાંડે, શાશ્વત રાવત, મહેશ પીઠીયા, રાજ લીંભાણી, આર્ય દેસાઈ, સિદ્ધાર્થ દેસાઈ, આકિબ ખાન, કાર્તિક યાદવ, વિદ્યાધર પાટીલ, કે હિમતેજા, ભુવનગિરી પુન્નૈયા, પુખરાજ માન, યશવર્ધન દલાલ, પાર્થ વત્સ, એડન એપલ ટોમ, હિમાંશુ સિંહ, અમન મોખાડે.