Breaking News: સિરાજ અચાનક ટીમમાંથી બહાર, આ ખેલાડીની આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાં T20 ટીમમાં એન્ટ્રી

આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 6 જૂને જાહેર થયેલી ટીમમાં મોહમ્મદ સિરાજનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. જોકે, હવે તેને ટીમમાંથી અચાનક બહાર કરવામાં આવ્યો છે. સિરાજના સ્થાને અન્ય એક ફાસ્ટ બોલરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

Breaking News: સિરાજ અચાનક ટીમમાંથી બહાર, આ ખેલાડીની આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાં T20 ટીમમાં એન્ટ્રી
Mohammed Siraj
Image Credit source: X
| Updated on: Jun 09, 2026 | 5:19 PM

મોહમ્મદ સિરાજને આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. 6 જૂને જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં સિરાજનું નામ સામેલ હતું. જોકે, હવે તેને બહાર કરવામાં આવ્યો છે. સિરાજના સ્થાને T20 ટીમમાં પ્રસિદ્ધ કૃષ્ણાની પસંદગી કરવામાં આવી છે. ભારતનો આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ જૂન-જુલાઈમાં યોજાવાનો છે.

સિરાજ ટીમમાંથી કેમ થયો બહાર?

હવે પ્રશ્ન એ છે કે મોહમ્મદ સિરાજને કેમ બહાર કરવામાં આવ્યો છે? સિરાજે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લીધો છે. સિરાજના ડૉક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી છે, અને તેને ધ્યાનમાં રાખીને, સિરાજે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ શ્રેણીમાંથી નામ પાછું ખેંચી લીધું છે.

પ્રસિદ્ધ કૃષ્ણા ટીમમાં સામેલ

તાજેતરમાં સમાપ્ત થયેલી IPL 2026 માં બોલ સાથે સારું પ્રદર્શન કરનાર કર્ણાટકના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને મોહમ્મદ સિરાજની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCI એ એક નિવેદન જાહેર કરીને સિરાજને આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બાકાત રાખવાની અને તેના સ્થાને કૃષ્ણાને ટીમમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી.

 

IPLમાં બંને ગુજરાત ટાઈટન્સના મુખ્ય બોલરો

મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંને IPL 2026 માં ગુજરાત ટાઈટન્સનો ભાગ હતા. સિરાજે 19 મેચમાં 17 વિકેટ લીધી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 12 મેચમાં 16 વિકેટ લીધી હતી. સિરાજ અને પ્રસિદ્ધ બંને IPL 2026 માં ગુજરાત ટાઈટન્સ માટે સૌથી સફળ બોલરોમાંના એક રહ્યા હતા. બંને ખેલાડીઓ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતા.

પ્રસિદ્ધ કૃષ્ણાએ ફક્ત ફક્ત પાંચ T20I રમી છે

સિરાજને T20I માં ઘણો અનુભવ છે. જોકે, જો તેના સ્થાને રમનાર પ્રસિદ્ધ કૃષ્ણાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધી ફક્ત પાંચ T20I રમી છે. આ બધી આંતરરાષ્ટ્રીય T20 તેણે 2023 માં રમી હતી. આનો અર્થ એ થયો કે તે બે વર્ષ પછી ભારત માટે T20 મેચ રમતો જોવા મળશે.

Breaking News: IPL બાદ શ્રીલંકામાં પણ વૈભવ સૂર્યવંશીએ પહેલા બોલે બાઉન્ડ્રી ફટકારી, 12 બોલમાં આટલા રન બનાવ્યા

Follow Us