
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી મેચ એસએસસી કોલંબોમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થયો છે. 33 વર્ષનો ઓલરાઉન્ડર સારાંશ જૈનને આ મેચમાં ડેબ્યુ કરવાની તક મળી છે. બીજી ટેસ્ટ મેચના ટોસ પહેલા ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સારાંશ જૈનને ડેબ્યુ કેપ આપી હતી. છેલ્લા થોડા સમયથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ પ્રદર્શન જોયા બાદ સારાંશ જૈનને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કરવાની તક મળી છે. તેમને કુલદીપ યાદવના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
બીજી ટેસ્ટ મેચની જો વાત કરીએ તો. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલે આ મેચમાં ટોસ જીત્યો છે અને તેમણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટને કહ્યું કુલદીપ યાદવને ઈન્ફેક્શન થયું છે. આ માટે મેચમાં રમશે નહી. તેના સ્થાને સારાંશ જૈન ભારત માટે ડેબ્યુ કરી રહ્યો છે. ગોલ ટેસ્ટમાં મળેલી જીતની વાત કરીએ તો. તેમણે 10માંથી 9 નંબર આપશે. કારણ કે, અમુક વસ્તુઓ ટીમને સુધારવાની જરુર છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી ટેસ્ટ રમાઈ રહી છે. ભારત આ ટેસ્ટ મેચ જીતીને બે મેચની સીરિઝમાં ક્લીન સ્વીપ પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખશે.
સારાંશ જૈને 2014માં તમિલનાડુ ટીમ વિરુદ્ધ પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતુ. તેમણે અત્યારસુધી કુલ 54 મેચ રમી છે. તેમણે બોલિંગ કરી 97 ઈનિગ્સમાં 188 વિકેટ લીધી છે. તેમના બોલિંગની સરેરાશ 27.30 અને ઈકોનોમી રેટ 3.01નો રહ્યો છે. આ દરમિયાન તેમણે 10 વખત મેચની એક ઈનિગ્સમાં 4 વિકેટ અને 10 વખત 5 વિકેટ લીધી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 75 રન આપી 6 વિકેટ લેવાનું છે. બેટિંગની વાત કરીએ તો. તેમણે 85 ઈનિગ્સમાં કુલ 2223 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 14 અડધી સદી સામેલ છે.