
IPL સમાપ્ત થયા પછી ઘણા યુવા ખેલાડીઓ ઈન્ડિયા A ટીમ થે ત્રિકોણીય શ્રેણી માટે શ્રીલંકા જશે. આ ટીમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઋતુરાજ ગાયકવાડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે વાઈસ કેપ્ટન રિયાન પરાગ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રિયાન પરાગને IPL 2026 દરમિયાન ઈજા થઈ હતી. ઈજા છતાં તે રાજસ્થાન રોયલ્સ માટે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 માં રમ્યો હતો, અને હવે તે ઈન્ડિયા A ટીમમાંથી બહાર થઇ ગયો છે. જોકે, આનાથી ઋતુરાજ ગાયકવાડને ફાયદો થયો છે. તેનો રિયાન પરાગની જગ્યાએ ઈન્ડિયા A ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ઋતુરાજ ગાયકવાડને ઈન્ડિયા A ટીમમાં તક મળવી એ ખરેખર તેના માટે ગિફ્ટ કે આશીર્વાદ સમાન છે. આ ખેલાડી IPL 2026 માં ખરાબ ફોર્મમાં હતો અને ટુર્નામેન્ટ દરમિયાન ઈન્ડિયા A ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. જોકે, રિયાન પરાગની ઈજાને કારણે હવે તેની પસંદગી કરવામાં આવી છે. ઋતુરાજ ગાયકવાડને ટીમના વાઈસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યો છે.
News
Ruturaj Gaikwad added to India A squad for tri-series in Sri Lanka as a replacement for injured Riyan Parag.
Details https://t.co/COTmObu7Sg
— BCCI (@BCCI) May 31, 2026
તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ, કુમાર કુશાગ્ર, વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ, અનુકુલ રોય.
ઈન્ડિયા A માટે આ શ્રેણી અત્યંત મહત્વપૂર્ણ છે. આ ટીમમાં ઘણા યુવા ખેલાડીઓ છે જે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી શકે છે. વૈભવ સૂર્યવંશી પણ આ ટીમનો ભાગ છે, જે સારું પ્રદર્શન કરે તો ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શકે છે.