Breaking News : IPLના કારણે આયરલેન્ડ સીરિઝમાં ટીમ ઈન્ડિયા હારી? અશ્વિને એક મોટો સવાલ ઉઠાવ્યો

R Ashwin On Team India T20I Series Defeat : આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં મળેલી હાર પછી ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય ટીમની બેટિંગની નબળાઈ કહી છે.

Breaking News : IPLના કારણે આયરલેન્ડ સીરિઝમાં ટીમ ઈન્ડિયા હારી? અશ્વિને એક મોટો સવાલ ઉઠાવ્યો
Image Credit source: AI
| Updated on: Jun 29, 2026 | 2:46 PM

આયરલેન્ડ વિરુદ્ધ ટી20 સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમની 0-2ની ઐતિહાસિક હારે બધાને હેરાન કરી દીધા હતા. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તરત એક નબળી મનાતી ટીમની સામે યુવા બ્રિગેડનું આ રીતે ઘુંટણિયે પડવા પર સવાલો ઉભા થવા લાગ્યા છે. આ હાર બાદ ભારતના દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ભારતીય બેટ્સમેનને એક અરીસો દેખાડ્યો છે. અશ્વિનનું માનવું છે કે, આઈપીએલની સપાટ અને મદદગાર પિચ પર રમવાની આદત થઈ ચૂકી છે. યુવા ખેલાડીઓની અસલી પરીક્ષા આવી પરિસ્થિતિઓમાં થાય છે.

અશ્વિને ભારતીય બેટ્સમેન પર સવાલ ઉઠાવ્યા

અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે, દરેક ઈન્ટરનેશનલ વિકેટ આઈપીએલ જેવી સરળ થવાની નથી. તેમણે ભારતીય ટીમની બેટિંગની ભૂલો નીકાળતા કહ્યું કે, આઈપીએલમાં જે રીતે 24 કેરેટ સપાટ પીચ જોવા મળે છે. તેવી પીચ અહી આયરલેન્ડમાં ઉપલબ્ધ ન હતી. સાચું કહું તો મને આ સીરિઝમાં ક્રિકેટની ક્વોલિટી જોવાની ખુબ મજા આવી હતી.

 

 

 

અશ્વિને આગળ કહ્યું કે, આ ભારતીય બેટિંગ લાઈન-અપને મોટાભાગના ખેલાડીઓ સીધા આઈપીએલ રમી અહી આવે છે. ઈન્ટરનેશનલ લેવલ પર તેની સાચી વેલ્યુ અને ક્ષમતાની પરીક્ષા ત્યારે થશે. જ્યારે આવી પીચ પર રમશે. જેમાં કોઈ શક નથી. આઈપીએલમાં રમવાના કારણે ભારતીય બેટ્સમેનની હિટિંગ ક્ષમતા અને સ્ટ્રોક -પ્લેમાં ખુબ સુધારો થયો છે. પરંતુ જ્યારે બોલની સીમા અને મુવમેન્ટ મળે છે તો તે ફસાઈ જાય છે.

બંન્ને મેચમાં ભારતીય બેટ્સમેન ફ્લોપ રહ્યા

આયરલેન્ડ વિરુદ્ધ આ સીરિઝમાં ભારતીય બેટ્સમેન સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. પહેલી ટી20માં 183 રનના ટાર્ગેટનો પીછો કરતા કેપ્ટન શ્રેયસ અય્યર,સંજુ સેમસન અને સાંઈ સુદર્શન જેવા સ્ટાર સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યા હતા. આખી ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ હતી. તો બીજી મેચમાં આયરલેન્ડના બોલર પાવરપ્લેની અંદર જ ભારતની 4 વિકેટ 39 રન આપ્યા હતા. જેના કારણે તિલક વર્માની અડધી સદી છતાં ટીમ ઈન્ડિયા 154 રનના સામાન્ય ટાર્ગેટ સામે 1 રનથી મેચ હારી ગઈ હતી.

એન્જિનિયરિંગ છોડી ક્લાસ મેટ સાથે લગ્ન કરનાર રવિચંદ્રન અશ્વિનના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Published On - 2:08 pm, Mon, 29 June 26

Follow Us