
શું 15 ઓગસ્ટ 2020ની જેમ, 5 એપ્રિલ 2025ની તારીખ પણ ભારતીય ક્રિકેટ ચાહકોના હૃદય અને મનમાં કાયમ રહેશે? લગભગ 5 વર્ષ પહેલાં 15 ઓગસ્ટના રોજ, જ્યારે ધોનીએ સાંજે 7:29 વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. પણ હવે શું ધોની 5 એપ્રિલ 2025ના રોજ IPLમાંથી પણ નિવૃત્તિ લેશે? IPL 2025ની વચ્ચે ધોનીના ચાહકો અચાનક આ વાતથી ડરવા લાગ્યા છે, કારણ કે લગભગ 20 વર્ષના તેના કરિયરમાં પહેલીવાર ધોનીના માતા-પિતા તેને રમતા જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ધોની છેલ્લા 5 વર્ષથી ફક્ત IPL રમી રહ્યો છે. પરંતુ દર વર્ષે આ પ્રશ્ન ઉભો થાય છે કે શું તે આ વર્ષે IPLમાંથી પણ નિવૃત્તિ લેવાનો છે? છેલ્લી બે સિઝનમાં આ પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર રહ્યો. ખાસ કરીને IPL 2023માં તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ ચેમ્પિયન બન્યા પછી, એવું માનવામાં આવતું હતું કે ધોની કદાચ નિવૃત્તિ લઈ શકે છે. પરંતુ ચેન્નાઈની ટીમ અને ચાહકો માટે ધોનીએ વાપસી કરી અને છેલ્લી સિઝનમાં પણ રમ્યો. પરંતુ આ સમયગાળા દરમિયાન પણ vતેના માતાપિતા તેને સ્ટેડિયમમાં એક પણ વાર જોવા આવ્યા ન હતા.
Home sweet Anbuden ft. The Dhonis! ️#CSKvDC #WhistlePodu #Yellove pic.twitter.com/Bj1rnt1nCw
— Chennai Super Kings (@ChennaiIPL) April 5, 2025
પરંતુ IPL 2025ની ચોથી મેચમાં ધોનીના માતા-પિતા અચાનક ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ જોવા માટે આવી પહોંચ્યાના સમાચારથી ચાહકોમાં હલચલ અને બેચેની વધી ગઈ છે કે શું ધોની નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે? ચેપોક સ્ટેડિયમ ખાતે શનિવાર, 5 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ શરૂ થાય તે પહેલા, શો દરમિયાન જિયો-હોટસ્ટારના એન્કરે ખુલાસો કર્યો કે ધોનીના માતા-પિતા મેચ જોવા આવ્યા હતા અને તરત જ આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. થોડા સમય પછી ધોનીને ટીવી સ્ક્રીન પર જોયા પછી, ચાહકો વધુને વધુ ડરવા લાગ્યા કે કદાચ તેઓ ક્રિકેટના મેદાન પર છેલ્લીવાર તેમના થાલાને જોઈ રહ્યા છે?
ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આ પછી જ તે તેની વિસ્ફોટક બેટિંગને કારણે ક્રિકેટની દુનિયામાં સુપરસ્ટાર બન્યો. પછી 2007 માં પહેલીવાર કેપ્ટન બન્યા પછી, તેણે ભારતીય ટીમ માટે T20 વર્લ્ડ કપ જીતી હલચલ મચાવી દીધી અને ધોનીનું સ્ટારડમ ચરમસીમાએ પહોંચ્યું. પરંતુ આ સમય દરમિયાન પણ તેમના પિતા પાન સિંહ અને માતા દેવકી દેવી તેને રમતો જોવા માટે ક્યારેય વિશ્વના કોઈપણ સ્ટેડિયમમાં ગયા ન હતા.
ધોનીને ચેન્નાઈના ચાહકો તરફથી સૌથી વધુ પ્રેમ અને સ્નેહ ત્યારે મળ્યો જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 2008માં IPLમાં ખરીદ્યો અને ત્યારથી તેણે ટીમને 5 વખત ચેમ્પિયન બનાવી. આ સમયગાળા દરમિયાન પણ તેના માતા-પિતા ક્યારેય કોઈ મેચ જોવા આવ્યા નહીં. પરંતુ હવે તેમનું અચાનક આ રીતે આગમન એ અનુમાન કરવા માટે પૂરતું છે કે કદાચ આ ધોનીની છેલ્લી મેચ હોઈ શકે છે. ધોની હજુ પણ IPLનો સૌથી સફળ કેપ્ટન છે અને કદાચ આ રેકોર્ડ તેની નિવૃત્તિ પછી પણ હંમેશા અકબંધ રહેશે.
આ પણ વાંચો: Breaking News : શું ધોની IPLમાંથી લેશે નિવૃત્તિ ? માતા-પિતા પહેલીવાર તેને રમતો જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા
Published On - 5:26 pm, Sat, 5 April 25