
પંતની ટીમ આઈપીએલ 2026માં ખરાબ પ્રદર્શન કરી રહી છે. તે ભારતની વનડે ટીમમાંથી બહાર થઈ છે. તેની ટેસ્ટ ટીમની વાઈસ કેપ્ટનશીપ પણ છિનવાઈ ગઈ છે. હવે તેમણે આઈપીએલમાં ઈન્ટરવ્યુ દરમિયાન અપશબ્દો પણ કહ્યા છે. તમને એ જાણીને હેરાની થશે. લખનૌ સુપર જાયન્ટસની હાર બાદ પંતે ઈયાન બિશપ સાથેની વાતચીતમાં અપશબ્દો બોલ્યા છે. પંતે હાર બાદ પોતાના દિલની વાત કરી રહ્યો હતો. અંતે અપશબ્દો કહ્યા હતા. પંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
Rishabh Pant didn’t just do it, did he, lol!#ipl #tataipl #rishabhpant #rrvslsg pic.twitter.com/GUvBAbwkTd
— Merupranta Saikia (@MeruprantaMSD) May 19, 2026
પંત લખનૌની હાર બાદ ઈયાન બિશપ સાથેની વાતચીતમાં મડિલ ઓવરમાં અને છેલ્લી ઓવરમાં જે રીતે આર્ચરે ફેંકી તે શાનદાર હતી. અમે 10 રન વધારી બનાવી શકતા હતા પરંતુ છેલ્લી ઓવરમાં આવું કાંઈ થયું નહી. જયપુરની પિચ બેટિંગ માટે સારી હતી અહી બોલિંગ મુશ્કેલી હતી. અહીં અનુભવની જરૂર હતી, અને અમારી પાસે તેનો અભાવ હતો. અનુભવ તમને દબાણમાં વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. મને મારી ટીમ પર ગર્વ છે. એ સાચું છે કે,(અપશબ્દો) એક સારી ટીમ છે. પંતની આ હરકતથી દંડ થઈ શકે છે. BCCI તેની સામે કાર્યવાહી કરી શકે છે.
લખનૌ સુપર જાયન્ટસની ટીમ પર વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિગ્સ બેટિંગ ભારે પડી હતી.ડાબા હાથના બેટ્સમેને માત્ર 38 બોલમાં 93 રન બનાવ્યા, જેમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય ધ્રુવ જુરેલે અણનમ 53 રન બનાવ્યા હતા. કેપ્ટન યશસ્વી જયસ્વાલે 23 બોલમાં 43 રન બનાવ્યા હતા. લખૌન માટે મિચેલ માર્શે પણ શાનદાર બેટિંગ કરી હતી. આ ખેલાડીએ 57 બોલમાં 96 રન બનાવ્યા હતા. ઈંગ્લિશે 29 બોલમાં 60 રન બનાવ્યા તો પંતે 35 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ સામે પાંચ વિકેટે 220 રનનો સ્કોર કરવા છતાં, લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે કહ્યું કે તેમની ટીમ છેલ્લી ઓવરોમાં ઝડપી સ્કોર કરવામાં નિષ્ફળ રહી.