
પ્રથમ T20માં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા પર બીજી મેચ જીતવાનું દબાણ વધી ગયું છે. બેલફાસ્ટમાં રમાયેલી પ્રથમ મેચમાં આયર્લેન્ડે 182 રનનો મજબૂત સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 148 રનમાં સમેટાઈ ગઈ હતી. કોઈપણ આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં ભારત સામે આયર્લેન્ડનો આ પ્રથમ વિજય હતો. હવે બીજી અને અંતિમ મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે.
આ જીત બાદ આયર્લેન્ડનો આત્મવિશ્વાસ ઊંચો છે. ટીમના ઘણા અનુભવી ખેલાડીઓ ગેરહાજર હોવા છતાં યુવા ક્રિકેટરોએ શાનદાર રમત બતાવી હતી. ખાસ કરીને ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ચાર ઓવરમાં માત્ર 25 રન આપીને બે વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં આયર્લેન્ડ વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ખૂબ ઓછી છે. બીજી તરફ ભારતીય ટીમમાં કેટલાક ફેરફારો થઈ શકે છે.
બીજી મેચમાં ટીમ ઈન્ડિયામાં ઓછામાં ઓછો એક એન વધુમાં વધુ ત્રણ ફેરફાર થઈ શકે છે. જોકે યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને હજુ પણ ડેબ્યૂ માટે રાહ જોવી પડી શકે છે. પ્રથમ મેચમાં ટોચના ક્રમના બેટ્સમેનો નિષ્ફળ ગયા હોવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર બેટિંગ વિભાગમાં મોટા ફેરફાર કરવા માંગશે નહીં.
ભારત બોલિંગ વિભાગમાં ફેરફાર કરી શકે છે. લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે, જ્યારે એક ફાસ્ટ બોલરને બહાર બેસાડવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે બેલફાસ્ટની પરિસ્થિતિમાં વધુ નિયંત્રિત બોલિંગ જ ભારતને જીત અપાવી શકે છે. બીજી મેચ ભારત માટે શ્રેણીમાં ટકી રહેવાની તક છે, જ્યારે આયર્લેન્ડ ઈતિહાસ રચીને શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે.
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ/પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
ટિમ ટેક્ટર, રોસ એડાયર, હેરી ટેક્ટર, લોર્કન ટકર (વિકેટકીપર/કેપ્ટન), બેન્જામિન કેલિટ્ઝ, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, લિયામ મેકકાર્થી, મેથ્યુ હમ્ફ્રે અને જય મુન્દ્રા.