
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી 14 જુલાઈથી શરૂ થઈ રહી છે. ઈંગ્લેન્ડે આ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. એક અનુભવી ખેલાડીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે, જ્યારે બે ફાસ્ટ બોલરો પરત ફર્યા છે. માત્ર 16 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર એક ઓલરાઉન્ડરને પહેલીવાર ટીમમાં તક આપવામાં આવી છે. ઈંગ્લેન્ડે હેરી બ્રુકના નેતૃત્વમાં વનડે શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં જોફ્રા આર્ચર, જેકબ બેથેલ, બેન ડકેટ અને વિલ જેક્સ જેવા સ્ટાર ખેલાડીઓનો પણ સામેલ છે.
હેરી બ્રુક, રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, જેમ્સ કોલ્સ, સેમ કરન, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, આદિલ રશીદ, જો રૂટ, જોશ ટંગ.
ટેસ્ટ બાદ જેક ક્રાઉલીને વનડે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. જમણા હાથના આ બેટ્સમેનએ નવ વનડેમાં 25.6 ની સરેરાશથી બે અડધી સદી સાથે ફક્ત 205 રન બનાવ્યા હતા. ટેસ્ટમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. 64 ટેસ્ટમાં તેણે 31.18 ની સરેરાશથી ફક્ત 3586 રન જ બનાવ્યા હતા, જેમાં પાંચ સદીનો સમાવેશ થાય છે. હવે, તેને બંને ફોર્મેટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, ગુરનુર બ્રાર, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા.
Published On - 6:33 pm, Fri, 3 July 26