Breaking News: ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જીતવી પડશે આટલી મેચ, જાણો સંપૂર્ણ સમીકરણ

Team India WTC Final Scenario: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. પરિણામે, આગામી મેચો મહત્વપૂર્ણ રહેશે, જેમાં તેમને કોઈપણ કિંમતે જીતવાની જરૂર પડશે. ચાલો જાણીએ ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે.

Breaking News: ટીમ ઈન્ડિયા WTC ફાઈનલમાં કેવી રીતે પહોંચશે? જીતવી પડશે આટલી મેચ, જાણો સંપૂર્ણ સમીકરણ
Team India WTC Final Scenario
Image Credit source: X
| Updated on: May 20, 2026 | 5:38 PM

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સર્કલમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ બાકીની મેચોમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરવું પડશે. અત્યાર સુધી, ભારતે આ સર્કલમાં નવ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ચાર જીત, ચાર હાર અને એક ડ્રો છે. આનો અર્થ એ થાય કે તેમના પોઈન્ટ પર્સન્ટેજ (PCT) 48.15% છે. આ પ્રદર્શન સાથે, ભારત હજુ પણ ટોપ-2 માં સ્થાન મેળવવાથી ઘણું દૂર છે. જોકે, બાકીની મેચોમાં મજબૂત પ્રદર્શન તેને ફાઈનલમાં પહોંચવામાં મદદ કરી શકે છે.

WTC ફાઈનલમાં પહોંચવાનું સમીકરણ

WTC 2025-27 સર્કલમાં ભારત પાસે હવે નવ ટેસ્ટ મેચ બાકી છે. પહેલા ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં બે ટેસ્ટ મેચ રમાશે. ત્યારબાદ ભારતીય ટીમ ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે અને બે ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ તેઓ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ રમશે. જેમાં બંને ટીમો પાંચ ટેસ્ટ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમશે. જો ભારત આ બધી નવ મેચ જીતી જાય છે, તો તેમનો PCT 74.1% સુધી પહોંચી જશે, જે ફાઈનલમાં પહોંચવા માટે પૂરતો હશે. જોકે, આ ખૂબ જ મુશ્કેલ લક્ષ્ય છે.

ઓછામાં ઓછી સાત જીતની જરૂરી

ટોપ-2 માં સ્થાન મેળવવા માટે ભારતને ઓછામાં ઓછી છ જીતની જરૂર પડશે, પરંતુ મજબૂત સ્થિતિ જાળવી રાખવા માટે સાત કે આઠ જીતની જરૂર પડશે. જો ટીમ ઈન્ડિયા આ સમયગાળા દરમિયાન સાત જીત, એક ડ્રો અને એક હાર મેળવે છે, તો તેમનો PCT 64.8% થશે. છ જીત, બે ડ્રો અને એક હારના પરિણામે PCT 61.1% થશે. જ્યારે છ જીત, એક ડ્રો અને બે હારના પરિણામે PCT 59.3% થશે. તેથી, ભારતને PCT 65% ની આસપાસ જાળવવા માટે ઓછામાં ઓછી સાત જીતની જરૂર પડશે. જો અન્ય ટીમોના પરિણામો પણ એમની તરફેણમાં આવે છે, તો ટીમ ઈન્ડિયા આ PCT સાથે ફાઈનલ પહોંચી શકે છે.

 

દરેક મેચ કરો યા મરો જેવી

ટીમ ઈન્ડિયા પાસે હવે જીત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલની જોડીએ દરેક મેચને ફાઈનલ સમજવી પડશે. જો ભારત તેની બાકીની 9 મેચોમાંથી ઓછામાં ઓછી 7-8 મેચ જીતી શકે છે, તો તેમની પાસે WTC 2027 ના ફાઈનલમાં પહોંચવાની મજબૂત તક છે. જોકે, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી કસોટી હશે. આ બંને દેશો સામે ભારતનો તાજેતરનો રેકોર્ડ ખરાબ રહ્યો છે.

Breaking News: WTC ફાઈનલમાં પહોંચવા માટે ભારતનો મોટો નિર્ણય, હવે આવી પિચો પર ટેસ્ટ મેચ નહીં રમાય !

Published On - 5:32 pm, Wed, 20 May 26

Follow Us