Breaking News : કાબુલમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈકથી 400 લોકોના મોત, અફઘાનિસ્તાનના ક્રિકેટરો ગુસ્સો થયા

પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના કાબુલના એક રિહૈબિલિટેશન હોસ્પિટલમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં અનેક માસુમ બાળકોના મૃત્યું થયા છે. આ હુમલા પર અફઘાનિસ્તાનના ક્રિકેટરોનું નિવેદન સામે આવ્યું છે.

Breaking News : કાબુલમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈકથી 400 લોકોના મોત, અફઘાનિસ્તાનના ક્રિકેટરો ગુસ્સો થયા
| Updated on: Mar 17, 2026 | 1:17 PM

પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલમાં આવેલી ડ્રગ રિહૈબિલિટેશન હોસ્પિટલ પર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં અનેક માસુમ બાળકોના મૃત્યું થયા હતા. અફઘાનિસ્તાનના ડિપ્યુટીનું સ્પોક્સપર્સન હમદુલ્લાહ ફિતરતનું કહેવું છે કે, આ હુમલામાં અત્યારસુધી અંદાજે 400 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ હુમલાથી અફઘાનિસ્તાનના ક્રિકેટરો પણ તુટી ચૂક્યા છે. હવે તેઓએ હુમલા અને તેમના પ્રિયજનોને ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો છે. ચાલો જાણીએ કોણે શું લખ્યું.

પાકિસ્તાનના હુમલા પર અફઘાનિસ્તાનના ક્રિકેટરોની પ્રતિક્રિયા

અઝમતુલ્લાહ ઉમરઝઈએ સોશિયલ મીડિયા પર કહ્યું એક જોરદાર ધમાકો થયો. ત્યારબાદ પાકિસ્તાની એર સ્ટ્રાઈકમાં એક હોસ્પિટલમાં આગ લાગી. રમઝાનના મહિનામાં રોઝા ખોલ્યા બાદ અનેક માસુમ બાળકોના મૃત્યું થયા છે. અનેક ઘાયલ થયા છે. દરેક પરિવારની સાથે મારી સંવેદનાઓ છે. અમે ન્યાય અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

 

 

 

વોર ક્રાઈમ

અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને સોશિયલ મીડિયા પર લખ્યું કાબુલમાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકના કારણે સામાન્ય નાગરિકોના મૃત્યું થયા છે. આ સમાચારથી હું ખુબ દુખી છું. નાગરિકોના ઘર, એજ્યુકેશન ફેસિલિટી કે મેડિકલ ઈન્ફાસ્ટ્રક્ચર ને નિશાને બનાવવું વોર ક્રાઈમ છે. ખાસ કરીને રમઝાનના પાક મહિનામાં માનવ જીવનના પ્રતિ ધોર ઉપેક્ષા ધૃણિત અને ખૂબ ચિંતાજનક છે.

 

 

અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝારદાને સોશિયલ મીડિયા પર લખ્યું આજે રાતે મે કાબુલમાં ભયંકર ધમાકો સાંભળ્યો હતો. મારી સંવેદનાઓ તે પરિવાર સાથે છે.

 

 

અફઘાનિસ્તાન એ દક્ષિણ એશિયા સ્થિત એક દેશ છે, જે ચીન, ઈરાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની સરહદે આવેલ છે. અહી ક્લિક કરો