AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 માં નવી સામેલ થનારી ટીમોને ઓકશન પહેલા મળશે આ ખાસ લાભ, જે સુવિધા ટીમને મજબૂત કરવા કામ આવશે

IPL 2022 થી, ટુર્નામેન્ટમાં આઠ ને બદલે 10 ટીમો હશે. આ કારણે, મેગા હરાજીનું આયોજન કરવામાં આવશે, જેના કારણે તમામ ટીમોએ ખેલાડીઓ પર બોલી લગાવવી પડશે.

IPL 2022 માં નવી સામેલ થનારી ટીમોને ઓકશન પહેલા મળશે આ ખાસ લાભ, જે સુવિધા ટીમને મજબૂત કરવા કામ આવશે
IPL Trophy
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 2:24 PM
Share

IPL 2022 માં બે નવી ટીમોની એન્ટ્રી થવા જઈ રહી છે. આ સંદર્ભમાં, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ટીમોમાં જોડાતા ખેલાડીઓ માટે નવા નિયમો બનાવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે નવી ટીમોને હરાજી પહેલા જ કેટલાક ખેલાડીઓને તેમની સાથે જોડવાની પરવાનગી મળશે. આ સાથે, IPL 2022 ની તમામ ટીમોની હરાજીમાં મામલો સમાન રહેશે. હકીકતમાં, પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી આઠ ફ્રેન્ચાઇઝીઓને પહેલાથી જ કેટલાક ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવશે. જે નવી ટીમો માટેનો ખેલ બગાડી શકે છે.

આવી સ્થિતીમાં, બીસીસીઆઈ જૂની આઠ ફ્રેન્ચાઈઝીઓ તેમજ બે નવી ફ્રેન્ચાઈઝીઓને રીટેનના નિયમનો લાભ લેવાની તક આપશે. એક મીડિયા રિપોર્ટે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, નવી ફ્રેન્ચાઇઝી હરાજી પહેલા જે પણ ખેલાડીઓ હરાજી માટે તેમના નામ આપશે તેમને પોતાની ટીમમાં ઉમેરી શકાશે. આ દરમિયાન, ફ્રેન્ચાઇઝી અને ખેલાડીઓ મળીને પૈસા પર સહમત થશે.

અત્યાર સુધી બીસીસીઆઈએ રિટેન કરનાર ખેલાડીઓની સંખ્યા જાહેર કરી નથી. પરંતુ તે સમજી શકાય છે કે નવી ફ્રેન્ચાઇઝી માટે આ સંખ્યા બે કે ત્રણ રહી શકે છે. બીજી બાજુ, જૂની ટીમો ત્રણ ભારતીય અને એક વિદેશી અથવા ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને જાળવી રાખી શકે છે. જો ખેલાડીઓની સંખ્યા ચાર રાખવામાં આવે તો રાઇટ ટુ મેચ કાર્ડ ન પણ મળી શકે.

માનવામાં આવે છે કે બે નવી ટીમોની જાહેરાત બાદ બીસીસીઆઈ હરાજીને લગતા નિયમો જારી કરી શકે છે. અત્યારે બોર્ડની પ્રથમ પ્રાથમિકતા નવી ટીમો માટે આવનારી બિડ્સ પૂરી કરવાની છે. BCCI આગામી 25 ઓક્ટોબરે નવી ટીમોની જાહેરાત કરશે.

25 મીએ નવી ટીમોની જાહેરાત

તાજેતરમાં, બીસીસીઆઈએ નવી ટીમો માટે ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર સુધી લંબાવી હતી. કહેવાય છે કે ઘણા નવી પાર્ટીઓએ આ અંગે વિનંતી કરી હતી. જો કે, ટીમોની બોલી પર આની કોઈ અસર થશે નહીં. 25 ઓક્ટોબરે નવી ટીમોની જાહેરાત થવાની છે. એવું માનવામાં આવે છે કે 15 મી સિઝનમાં અમદાવાદ અને લખનૌની ટીમો જોઇ શકાય છે. ઉપરાંત કટક અને ગુવાહાટી શહેરો પણ રેસમાં છે. જો સૂત્રોનું માનીએ તો આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપ, અરબિંદો ફાર્મા ગ્રુપ, અદાણી ગ્રુપે નવી ટીમો ખરીદવામાં રસ દાખવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે બે નવી આઈપીએલ ટીમોના માલિક કોણ બનશે?

આ પણ વાંચોઃ T20 World Cup 2021: વિશ્વકપ શરુઆત અગાઉ જ વિરાટ કોહલી એ ઋષભ પંતને લઇ કેમ સંભળાવ્યુ કે મારી પાસે તો ઘણાં કીપર છે! જુઓ Video

આ પણ વાંચોઃ IPL 2021: હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયામાં ધોનીની ખોટ પૂરવાની ભૂમિકા નિભાવશે, બોલીંગને બદલે ‘વિશેષ’ જવાબદારી સોંપાઇ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">