પહેલા BCCI એ બાંગ્લાદેશી ક્રિકેટરને રમવાની મંજૂરી આપી, દેશભરમાં વિરોધ વધ્યો તો હવે હકાલપટ્ટી કરી… ભૂલ કોની SRK ની કે BCCIની ?- વાંચો

ટાટા IPL 19 ના મિનિઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે જ્યારથી બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડથી વધુ કિંમતે ખરીદ્યો ત્યારથી શાહરૂખને ટ્રોલ કરાઈ રહ્યો છે. કેટલાક ભાજપના નેતાઓએ તો તેની દેશભક્તિ પર સવાલ ખડા કરતા તેને ગદ્દાર કરાર પણ આપી દીધો. જો કે સૌથી મોટો સવાલ તો એ છે કે SRK ની ટીમે બાંગ્લાદેશી ક્રિકેટરને ત્યારે ખરીદ્યો  જ્યારે BCCI એ મંજૂરી આપી. તો સૌથી મોટી ભૂલ કોની BCCIની કે SRK ની..- ચાલો સમજીએ વિગતવાર

પહેલા BCCI એ બાંગ્લાદેશી ક્રિકેટરને રમવાની મંજૂરી આપી, દેશભરમાં વિરોધ વધ્યો તો હવે હકાલપટ્ટી કરી... ભૂલ કોની SRK ની કે BCCIની ?- વાંચો
| Updated on: Feb 03, 2026 | 7:20 PM

ભારતમાં આગામી 26 માર્ચથી ટાટા IPL 19ની શરૂઆત થઈ રહી છે, જેમા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિકે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. જેવો SRK ની ટીમે મિનિ ઓક્શન દરમિયાન તેને ખરીદ્યો ત્યારથી દેશભરમાં KKRની ટીમના માલિક SRK નો વિરોધ શરૂ થઈ ગયો. આખરે ભારે વિરોધ બાદ BCCI એ આ ખેલાડીને નહીં રમાડવાનો નિર્ણય કર્યો છે અને હવે તેને KKR ની ટીમમાંથી દૂર કરવામાં આવ્યો છે. જો કે હાલ તો આ તમામ વિવાદ શાંત થઈ ગયો છે. જે દેશમાં નિર્દોષ હિંદુઓને  કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા પ્રતાડિત કરવામાં આવતા હોય, તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવતી હોય- એ દેશના ખેલાડીઓ માટે પણ આ દેશમાં કોઈ સ્થાન ન જ હોવુ જોઈએ. બાંગ્લાદેશના ખેલાડીઓને ત્યાં સુધી IPL માં ન રમાડવા જોઈએ જ્યાં સુધી બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર કરવામાં આવતા હુમલાઓ સંપૂર્ણપણે બંધ ન થાય. ભારતમાં IPL જેવી લીગમાં બાંગ્લાદેશી ખેલાડીઓનુ લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવે છે. આ વખતે પણ...

Published On - 7:47 pm, Sat, 3 January 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો