ભારતીય ટીમ (Team India) મુંબઇમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચ ચઢાવ ઉતાર વાળી સ્થિતીમાં થઇ ને 300 ને પાર સ્કોર કરવામાં સફળ રહ્યુ છે. મયંક અગ્રવાલ (Mayank Agarwal) ની રમતે ભારતને સન્માનજનક સ્કોરે પહોંચાડવા રુપ ઇનીંગ રમી હતી. પરંતુ બીજા દિવસે અક્ષર પટેલે (Axar Patel) તેને મજબૂત સાથ આપીને ભારતીય ટીમના સ્કોરને આગળ વધારવાનુ કાર્ય કર્યુ હતુ. એક રીતે સંકટ મોચન નિવડ્યો છે. તો વળી એજાઝ પટેલ (Ajaz Patel) ના હુમલા સામે અક્ષર પટેલે સ્કોર ઉંચે લઇ જવામાં અગ્રવાલ સાથે મળીને મહત્વની ભૂમિકા નિભાવી છે.
અક્ષર પટેલે પ્રથમ દાવમાં બેટીંગ કરવા દરમ્યાન લાંબો સમય પિચ રહ્યો હતો. તેણે અંગ્રવાલ સાથે મળીને મહત્વની રમત રમી બતાવી હતી. તેણે પોતાનુ પ્રથમ ટેસ્ટ અર્ધશતક નોંધાવ્યુ હતુ. આ સાથે જ તેમે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ગેરહાજરીમાં તેની ખોટ ટીમ ઇન્ડિયાને સાલવા દીધી નહોતી. તેની રમત એવા સમયે રમાઇ છે કે, સૌ કોઇ તેના આફ્રિન થઇ ચુક્યા છે. એજાઝ પટેલના આક્રમણ સામે વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અશ્વિન જેવા ખેલાડીઓ શૂન્ય પર વિકેટ ગુમાવી બેઠા હતા. ત્યારે અક્ષરે મુશ્કેલ ઘડીઓને પાર કરવામાં સફળતા મેળવી હતી.
જોકે રવિન્દ્ર જાડેજાને વાનખેડેની પિચ માટે ખૂબ જ યાદ કરવામાં આવી રહ્યો છે. તેની બોલીંગ અને તેની બેટીંગને લઇને ટીમના માટે ખૂબ જ ઉપયોગી ઓલરાઉન્ડર છે. સિરીઝ જીતવા માટેની નિર્ણાયક મેચમાં જાડેજાની હાજરી ટીમને ખૂબ જ ઉપયોગી નિવડી શકે એમ છે.
Published On - 1:00 pm, Sat, 4 December 21