AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 જાન્યુઆરીથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પાકિસ્તાનને આ ટેસ્ટના લગભગ 8 દિવસ પહેલા એક પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે મેચ પહેલા જ પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદે કહ્યું હતું કે ટેસ્ટ સિરીઝ માટે વિકેટકીપર તરીકે તેની પસંદગી કોણ હશે.

કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે
| Updated on: Dec 06, 2023 | 10:09 AM
Share

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચના થોડા દિવસો જ બાકી છે. 3 મેચની ટેસ્ટ સિરીઝ શરુ થશે. જેના માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. વર્લ્ડકપ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમ આ સિરીઝની સાથે પહેલી વખત મેદાનમાં ઉતરશે. સિરીઝ શરુ થતાં પહેલા ટીમનો એક સ્ટાર ખેલાડીનું સ્થાન ચર્ચામાં આવ્યું છે. એ પણ એવો ખેલાડી જેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સૌથી વધુ સેલરી આપે છે નામ છે મોહમ્મદ રિઝવાન.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત

પર્થમાં 14 જાન્યુઆરી થી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થશે. આ પહેલા પાકિસ્તાનની ટીમ બુધવારના 6 ડિસેમ્બરથી પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન ટીમની સાથે એક પ્રેક્ટિસ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચથી એક દિવસ પહેલા પાકિસ્તાનની ટીમના નવા કેપ્ટન શાન મસુદે સ્પષ્ટ કરી દીધું છે કે, ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર-બેટ્સમેનના રુપમાં રિઝવાનને પ્રાથમિકતા મળશે નહિ.

ટૂર્નામેન્ટમાં પણ તેણે રનનો ઢગલો કર્યો

હવે સવાલ એ છે કે, પાકિસ્તાનની ટીમનો કેપ્ટન ક્યા ખેલાડીને રમાડવા માંગે છે. શાન મુસદે આનો જવાબ પણ આપ્યો હતો. મુસદે સ્પષ્ટ કરી દીધું હતુ કે, ટેસ્ટ સિરીઝ દરમિયાન પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર સરફરાજ અહમદને પહેલા તક આપવામાં આવશે.આનું કારણ પણ મસુદે જણાવ્યું, નવા પાકિસ્તાની કેપ્ટને સ્પષ્ટ કર્યું હતું કે, ગત્ત ટેસ્ટ સિરીઝમાં સરફરાજ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો અને સાથે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં પણ તેણે રનનો ઢગલો કર્યો છે. જેના માટે તેની પસંદગી કરવામાં આવી છે.

ટોચની કેટેગરી ‘A’માં માત્ર ત્રણ ખેલાડી

પાકિસ્તાની ટીમનો આ નિર્ણય થોડો આશ્ચર્યજનક લાગે છે કારણ કે તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સેન્ટ્રલ કરારની જાહેરાત કરી હતી. જેમાં ખેલાડીઓને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ટોચની કેટેગરી ‘A’માં માત્ર ત્રણ ખેલાડી એવા હતા, જેમને સૌથી વધુ પગાર (પાકિસ્તાન રૂ. 45 લાખ) મળશે. બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી સિવાય ત્રીજો ખેલાડી રિઝવાન છે. તેનું કારણ એ હતું કે તે ત્રણેય ફોર્મેટમાં સતત રમ્યો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ટેસ્ટ ટીમ માટે લાયક ગણ્યો ન હતો.

જ્યાં સુધી સરફરાઝનો સવાલ છે તો તેને D કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. જેમાં માસિક પગાર અંદાજે 5 લાખ પાકિસ્તાન રુપિયા છે. શાન મસુદ પહેલા ડી કેટેગરીમાં હતો પરંતુ કેપ્ટન બનવાના કારણે તેને ડી કેટેગરીમાં અંદાજે 28 લાખમાં પ્રમોટ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">