કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 14 જાન્યુઆરીથી પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પાકિસ્તાનને આ ટેસ્ટના લગભગ 8 દિવસ પહેલા એક પ્રેક્ટિસ મેચ રમવાની છે, પરંતુ તે મેચ પહેલા જ પાકિસ્તાની કેપ્ટન શાન મસૂદે કહ્યું હતું કે ટેસ્ટ સિરીઝ માટે વિકેટકીપર તરીકે તેની પસંદગી કોણ હશે.

કેપ્ટન કરતાં વધુ પગાર, તેમ છતાં પાકિસ્તાની સ્ટાર પ્લેઈંગ 11માંથી બહાર રહેશે
Follow Us:
| Updated on: Dec 06, 2023 | 10:09 AM

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેચના થોડા દિવસો જ બાકી છે. 3 મેચની ટેસ્ટ સિરીઝ શરુ થશે. જેના માટે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પહેલાથી જ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તૈયારીઓમાં લાગી ગઈ છે. વર્લ્ડકપ 2023માં નિરાશાજનક પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમ આ સિરીઝની સાથે પહેલી વખત મેદાનમાં ઉતરશે. સિરીઝ શરુ થતાં પહેલા ટીમનો એક સ્ટાર ખેલાડીનું સ્થાન ચર્ચામાં આવ્યું છે. એ પણ એવો ખેલાડી જેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સૌથી વધુ સેલરી આપે છે નામ છે મોહમ્મદ રિઝવાન.

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત

પર્થમાં 14 જાન્યુઆરી થી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થશે. આ પહેલા પાકિસ્તાનની ટીમ બુધવારના 6 ડિસેમ્બરથી પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન ટીમની સાથે એક પ્રેક્ટિસ મેચ રમશે. આ પ્રેક્ટિસ મેચથી એક દિવસ પહેલા પાકિસ્તાનની ટીમના નવા કેપ્ટન શાન મસુદે સ્પષ્ટ કરી દીધું છે કે, ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર-બેટ્સમેનના રુપમાં રિઝવાનને પ્રાથમિકતા મળશે નહિ.

ટૂર્નામેન્ટમાં પણ તેણે રનનો ઢગલો કર્યો

હવે સવાલ એ છે કે, પાકિસ્તાનની ટીમનો કેપ્ટન ક્યા ખેલાડીને રમાડવા માંગે છે. શાન મુસદે આનો જવાબ પણ આપ્યો હતો. મુસદે સ્પષ્ટ કરી દીધું હતુ કે, ટેસ્ટ સિરીઝ દરમિયાન પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર સરફરાજ અહમદને પહેલા તક આપવામાં આવશે.આનું કારણ પણ મસુદે જણાવ્યું, નવા પાકિસ્તાની કેપ્ટને સ્પષ્ટ કર્યું હતું કે, ગત્ત ટેસ્ટ સિરીઝમાં સરફરાજ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો અને સાથે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં પણ તેણે રનનો ઢગલો કર્યો છે. જેના માટે તેની પસંદગી કરવામાં આવી છે.

માત્ર Reliance જ નહીં, મુકેશ અંબાણીની દીકરી ઈશા આ 7 કંપનીઓની પણ છે માલિક
આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો

ટોચની કેટેગરી ‘A’માં માત્ર ત્રણ ખેલાડી

પાકિસ્તાની ટીમનો આ નિર્ણય થોડો આશ્ચર્યજનક લાગે છે કારણ કે તાજેતરમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેના સેન્ટ્રલ કરારની જાહેરાત કરી હતી. જેમાં ખેલાડીઓને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા હતા. ટોચની કેટેગરી ‘A’માં માત્ર ત્રણ ખેલાડી એવા હતા, જેમને સૌથી વધુ પગાર (પાકિસ્તાન રૂ. 45 લાખ) મળશે. બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી સિવાય ત્રીજો ખેલાડી રિઝવાન છે. તેનું કારણ એ હતું કે તે ત્રણેય ફોર્મેટમાં સતત રમ્યો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ટેસ્ટ ટીમ માટે લાયક ગણ્યો ન હતો.

જ્યાં સુધી સરફરાઝનો સવાલ છે તો તેને D કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. જેમાં માસિક પગાર અંદાજે 5 લાખ પાકિસ્તાન રુપિયા છે. શાન મસુદ પહેલા ડી કેટેગરીમાં હતો પરંતુ કેપ્ટન બનવાના કારણે તેને ડી કેટેગરીમાં અંદાજે 28 લાખમાં પ્રમોટ કરવામાં આવ્યો છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">