AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રોહિત શર્માએ ડાઈવ કરીને લીધો જોરદાર કેચ, કોહલી પણ ઝૂમી ઉઠ્યો, જુઓ Video

ભારત-શ્રીલંકા મેચમાં ભારતીય ટીમની બેટિંગ કામમાં આવી ન હતી. આ મેચમાં રોહિતે ચોક્કસપણે અડધી સદી ફટકારી હતી પરંતુ બાકીના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ટીમ ઈન્ડિયા શ્રીલંકાના સ્પિનરો સામે ટકી શકી ન હતી અને 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.પરંતુ રોહિતે બેટિંગ પછી પોતાની ફિલ્ડિંગથી કમાલ કરી હતી.

IND vs SL: રોહિત શર્માએ ડાઈવ કરીને લીધો જોરદાર કેચ, કોહલી પણ ઝૂમી ઉઠ્યો, જુઓ Video
Rohit Sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2023 | 11:44 PM
Share

ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા અત્યારે શાનદાર ફોર્મમાં છે. હાલમાં રમાઈ રહેલા એશિયા કપ 2023 (Asia Cup 2023) માં તેનું ફોર્મ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રોહિતે નેપાળ સામે શાનદાર અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે પાકિસ્તાન સામે પણ અડધી સદી ફટકારી હતી. રોહિત શર્મા (Rohit Sharma)એ મંગળવારે પણ શ્રીલંકા સામે તેનું ફોર્મ ચાલુ રાખ્યું હતું. રોહિત બેટની સાથે ફિલ્ડિંગમાં કમાલ કરી રહ્યો છે. શ્રીલંકા વિરૂદ્ધ રોહિતે સ્લિપમાં જોરદાર કેચ પકડ્યો હતો.

કેપ્ટને કર્યો કેપ્ટનનો શિકાર

ભારત-શ્રીલંકા મેચમાં માત્ર શ્રીલંકાના સ્પિનરોએ જ નહીં પરંતુ ભારતીય બોલરોએ પણ શાનદાર બોલિંગ કરીને શ્રીલંકાને લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ બનાવી દીધું હતું. વિકેટો પડવાની શ્રેણી વચ્ચે શ્રીલંકાને આશા હતી કે કેપ્ટન દાસુન શનાકા વિકેટ પર પગ જમાવશે પરંતુ એવું થયું નહીં. રવિન્દ્ર જાડેજાએ તેની વિકેટ તો લીધી, પરંતુ શ્રીલંકાના કેપ્ટનને આઉટ કરવાનો શ્રેય પણ ભારતીય કેપ્ટનને જાય છે જેણે શનાકાનો શાનદાર કેચ લીધો હતો.

રોહિતે ડાઈવ કરીને શાનદાર કેચ લીધો

જાડેજા 26મી ઓવર નાખવા આવ્યો હતો. તેણે પહેલો બોલ ઓફ સ્ટમ્પ પર નાખ્યો, જે ટર્ન લઈને શનાકાના બેટની કિનારી લઈને સ્લિપમાં ગયો. બોલ પ્રથમ સ્લિપમાં ઉભેલા રોહિતથી ઘણો દૂર હતો અને જમીન પર અથડાવાનો જ હતો પરંતુ રોહિતે તેની જમણી તરફ ડાઈવ કરીને શાનદાર કેચ લીધો હતો. જો કે એ જ ઓવરના ચોથા બોલ બાદ રોહિત મેદાનની બહાર ગયો હતો અને ગિલ તેની જગ્યાએ સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. જો કે, તે લાંબા સમય સુધી બહાર ન રહ્યો અને થોડા સમય પછી પાછો આવ્યો હતો.

આ પણ વાંચો : Breaking News : ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયા એશિયા કપ ફાઈનલમાં

શ્રીલંકાના સ્પિનરોનું યાદગાર પ્રદર્શન

આ મેચમાં શ્રીલંકાના સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકન સ્પિનરોએ ભારતની તમામ 10 વિકેટ લીધી હતી. ODIમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે ભારતની તમામ 10 વિકેટ સ્પિનરોએ લીધી હોય. દુનિતા વેલાલાગેએ પાંચ વિકેટ પોતાના નામે કરી હતી જ્યારે ચરિતા અસલંકાએ ચાર વિકેટ અને મહિષ તિક્ષાનાએ એક વિકેટ લીધી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">