બુમરાહ બાદ એશિયા કપમાંથી બહાર વધુ એક ખેલાડી, હાથની આંગળીમાં થયુ ફેક્ચર

|

Aug 09, 2022 | 4:54 PM

આ ખેલાડી 31 જુલાઈએ રમાયેલી બીજી T20 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે ઈજા બાદ તેને ટી-20 સિરીઝમાંથી ખસી જવું પડ્યું હતું, હવે સર્જરીથી રિકવરીમાં લાગેલા સમયને કારણે તેણે એશિયા કપમાંથી પણ બહાર થવું પડશે.

બુમરાહ બાદ એશિયા કપમાંથી બહાર વધુ એક ખેલાડી, હાથની આંગળીમાં થયુ ફેક્ચર
બુમરાહ બાદ એશિયા કપમાંથી બહાર વધુ એક ખેલાડી
Image Credit source: AFP

Follow us on

ASIA CUP 2022 : ભારતના જસપ્રીત બુમરાહ  (Jasprit Bumrah)બાદ એશિયા કપ (ASIA CUP )માંથી બહાર થનાર ખેલાડીઓની યાદીમાં વધુ એક નામ નોંધાયું છે. આ નામ છે બાંગ્લાદેશના નુરુલ હસનનું. નુરુલ હસન (Nurul Hasan)ની આંગળીમાં ફ્રેક્ચર છે, જેની સર્જરી સોમવારે સિંગાપોરમાં કરવામાં આવી હતી. આ સર્જરી બાદ નુરુલ હસનને ઈજામાંથી સાજા થવામાં 4 સપ્તાહનો સમય લાગી શકે છે અને આ સ્થિતિમાં તે એશિયા કપનો ભાગ નહીં બની શકે. આ જ કારણ છે કે તેને આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું.

ભારતને આ ખરાબ સમાચાર મળ્યા

UAEમાં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં ભારત (Indian Cricket Team) પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. આ મેચના 20 દિવસ પહેલા ભારતને આ ખરાબ સમાચાર મળ્યા છે. ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી અનુસાર, બુમરાહ પીઠની ઈજાથી પરેશાન છે, જેના કારણે પસંદગીકારોને ટેન્શન વધી ગયું છે.31 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે રમાયેલી બીજી T20 દરમિયાન નુરુલ હસનને આ ઈજા થઈ હતી. તે ઈજા બાદ નુરુલ ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો, હવે તેને એશિયા કપમાંથી પણ બહાર થવું પડશે. ઈજાના કારણે બાંગ્લાદેશે હજુ સુધી પોતાની ટીમની જાહેરાત કરી નથી. કદાચ તે ગુરુવારે એશિયા કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે.

બુમરાહ બાદ નુરુલ હસન એશિયા કપમાંથી બહાર

ભારતના જસપ્રિત બુમરાહ અને બાંગ્લાદેશના નુરુલ હસન એશિયા કપમાંથી બહાર થઈ જવાની વચ્ચે એક વસ્તુ સમાન છે. આ બંનેના એશિયા કપમાંથી બહાર હોવાના સમાચાર તેમના દેશની ટીમ સિલેક્શન પહેલા આવ્યા છે. વેલ, બુમરાહનું બહાર નીકળવું ટીમ ઈન્ડિયા માટે જેટલો મોટો આંચકો છે, તેટલો જ મોટો ફટકો નુરુલ હસનની ગેરહાજરીને કારણે બાંગ્લાદેશ માટે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

એશિયા કપનું શિડ્યુલ જાહેર

એશિયા કપની પ્રથમ મેચ 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ પછી 28 ઓગસ્ટ રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશની ટીમ પણ ભાગ લેશે તેમજ ક્વોલિફાયર ટીમ પણ એશિયા કપમાં રમતી જોવા મળશે. ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ Aમાં ભારત-પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમનો સમાવેશ થાય છે. બી ગ્રુપમાં શ્રીલંકા-અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે.

Next Article