IND vs PAK : WCL 2025 પછી, શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ 4 મેચ પણ રદ થશે?

પાકિસ્તાન સામે મેચ ન રમવાને કારણે ઈન્ડિયા ચેમ્પિયન્સે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. ઈન્ડિયા ચેમ્પિયન્સના આ નિર્ણય પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની વધુ 4 મેચ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

IND vs PAK : WCL 2025 પછી, શું ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ 4 મેચ પણ રદ થશે?
India vs Pakistan
Image Credit source: getty images
| Updated on: Jul 30, 2025 | 10:50 PM

WPL 2025માં ભારતે પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો અને ટુર્નામેન્ટમાંથી ખસી ગયા. વાસ્તવમાં, આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના કારણે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામેની મેચમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો. આ વિવાદ ફક્ત આટલા પૂરતો મર્યાદિત નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે, આગામી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો પર પણ અનિશ્ચિતતાના વાદળો છવાઈ રહ્યા છે.

એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ

આ વર્ષે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે. ટૂર્નામેન્ટ દરમિયાન બંને ટીમો ત્રણ વખત આમને-સામને આવી શકે છે. શેડ્યૂલ મુજબ, આ મેચ 14 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. ગ્રુપ સ્ટેજ મેચ પછી, બંને ટીમો સુપર-4 માં પણ ટકરાઈ શકે છે. જો બંને ટીમો ફાઈનલમાં પહોંચે છે, તો ત્રીજી મેચ પણ જોવા મળી શકે છે. પરંતુ શેડ્યૂલ પછી, BCCI સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આ મેચો પર સંકટના વાદળો છવાઈ ગયા છે.

મહિલા વર્લ્ડ કપમાં મુકાબલો

બીજી તરફ, મહિલા વનડે વર્લ્ડ કપ 2025 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમનો પણ પાકિસ્તાન સામે મુકાબલો થવાનો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 ઓક્ટોબરે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મુકાબલો થશે. પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ભારત-પાકિસ્તાન મેચ રદ થવાથી મહિલા વનડે વર્લ્ડ કપ મેચ પર પણ અસર પડી શકે છે. મહિલા વનડે વર્લ્ડ કપમાં પણ, જો બંને ટીમો નોકઆઉટ મેચમાં પહોંચી ગઈ હોય તો બંને ટીમો વચ્ચે એક કરતા વધુ મેચ રમાઈ શકે છે.

WPL 2025માં 2 વખત મેચ રદ થઈ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ઈન્ડિયા ચેમ્પિયન્સ પોતાની પહેલી મેચ પાકિસ્તાન ટીમ ચેમ્પિયન્સ સામે રમવાની હતી. પરંતુ સુરેશ રૈના અને શિખર ધવન જેવા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મેચમાં ભાગ લેશે નહીં, ત્યારબાદ આ મેચ રદ કરવામાં આવી હતી અને બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશી માટે મોટી તક, BCCIએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં કર્યો સામેલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો