વન ડે અને ટી 20 મેચ રમવા ભારતીય ટીમ સાથે શ્રીલંકા ગયેલા ભારતીય ક્રિક્રેટર કૃણાલ પંડ્યાના (Krunal Pandya) કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝીટીવ આવતા, આજે 27મી જુલાઈએ રમાનારી ભારત શ્રીલંકા વચ્ચેની બીજી ટી20 મેચ રદ કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બાયો સિક્યોર બબલમાં ત્રણ મેચની ટી 20 સીરીઝ રમાઈ રહી છે. આ સિરીઝની એક મેચ રમાઈ ગઈ છે જેમાં ભારતનો વિજય થયો હતો. આજે 27 જુલાઈએ બીજી ટી 20 મેચ રમાનાર હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી 20 મેચ કોરોના વાયરસના કારણે મોકૂફ રાખવામાં આવી છે. શ્રીલંકામાં યોજાનારી આ સિરીઝ માટે કોલંબોમાં હાજર ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે બંને ટીમો અલગ થઈ ગઈ છે અને હવે તમામના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આજે યોજાનારી ટી -20 શ્રેણીની બીજી ટી -20 મેચ મોકૂફ રાખવામાં આવી છે. સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, જો બાકીના અન્ય તમામ ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે, તો ટી 20 મેચ આવતીકાલ બુધવારે, 28 જુલાઈએ રમી શકાશે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો tv9gujarati.com
Published On - 3:59 pm, Tue, 27 July 21