ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે આગામી 4 ડીસેમ્બર થી ટી-20 સીરીઝની શરુઆથ થનારી છે. હવે સીરીઝને લઇને ક્રિકેટના પ્રશંસકો માટે એક સારા સમાચાર ન્યૂ સાઉથ વેલ્સ સરકાર તરફ થી આવ્યા છે. ટી-20 સીરીઝમાં આખરી મેચમાં હવે દર્શકોની વધુ સંખ્યા મેદાનમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારી શકશે. અત્યાર સુધી આ સંખ્યામાં સ્ટેડીયમની ક્ષમતા સામે માત્ર 50-60 ટકા દર્શકો જ મેચ નિહાળવા ઉપસ્થિત રહી શકતા હતા.
ન્યુ સાઉથ વેલ્સ સરકાર દ્રારા આગામી 7, ડિસેમ્બર થી મેદન પર નો પ્રતિબંધ હટાવી રહી છે. જેનો મતલબ એ છે કે, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે થનારી ત્રીજી મેચ માટે હવે દર્શકોની ઉપસ્થિતીને લઇને હવે કોઇ પાબંધી નહી રહે. જે મેચ 8, ડિસેમ્બરે યોજાનારી છે. ન્યુ સાઉથ વેલ્સના પ્રિમીયર ગ્લેડિસ બેરેજિકિલયાન એ આ વાતની ઘોષણા કરી છે કે, આગામી 7, ડિસેમ્બર થી પુરી ક્ષમતા માં દર્શકોને અનુમતી આપવામાં આવી શકે છે. ધ ઓસ્ટ્રેલીયન મુજબ તેમણે કહ્યુ છે કે, સોમવાર થી એનએસડબલ્યુ માં જીવન ખુબ અલગ જ હશે. આ પગલાનો મતલબ છે કે ત્રીજી અને આખરી ટી-20 મેચ હવે ખીચોખીચ ભરેલા સ્ટેડીયમમાં રમાઇ શકે છે. જે મંગળવારે સિડની ક્રિકેટ મેદાન પર રમાનારી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો