કોરોનાએ દીધો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો , BCCIએ રદ્દ કરી બે દેશો સાથેની સિરીઝ

|

Jun 12, 2020 | 1:50 PM

  બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કોરોનાવાયરસના કારણે ટીમ ઇન્ડિયાનો આગળનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત કર્યો છે. શુક્રવારે કહ્યું કે, ભારતીય ટીમ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે નહિ. 24 જૂનથી શ્રીલંકાના પ્રવાસે ભારત 3 વનડે અને T-20ની સીરિઝ રમવાનું હતું. જ્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ 3 વનડે રમવાની હતી. બંને દેશ વચ્ચે આ સીરિઝ 22 […]

કોરોનાએ દીધો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો  , BCCIએ રદ્દ કરી બે દેશો સાથેની સિરીઝ
http://tv9gujarati.in/corona-ae-didho-…ia-ne-moto-zatko/ ‎

Follow us on

 

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ કોરોનાવાયરસના કારણે ટીમ ઇન્ડિયાનો આગળનો શ્રીલંકા પ્રવાસ સ્થગિત કર્યો છે. શુક્રવારે કહ્યું કે, ભારતીય ટીમ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ જશે નહિ. 24 જૂનથી શ્રીલંકાના પ્રવાસે ભારત 3 વનડે અને T-20ની સીરિઝ રમવાનું હતું. જ્યારે ઝિમ્બાબ્વેના પ્રવાસે ટીમ 3 વનડે રમવાની હતી. બંને દેશ વચ્ચે આ સીરિઝ 22 ઓગસ્ટથી રમાવવાની હતી.

શ્રીલંકાએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ ટીમનો જૂન-જુલાઇમાં પ્રવાસ હવે શેડ્યૂલ મુજબ આગળ વધશે નહિ. અમને BCCI દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે અત્યારે પ્રવાસ કરવો સુરક્ષિત નથી.” તેથી ભારતીય ટીમ શ્રીલંકામાં વનડે અને T-20 સીરિઝ રમી શકશે નહીં. જોકે, પ્રવાસ રદ કરવામાં આવ્યો નથી. જોકે સરકારની મંજૂરી બાદ જ ટીમ ઇન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે
માહિતી  અનુસાર, સરકારની મંજૂરી મળે તો ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં શ્રીલંકાનો પ્રવાસ કરી શકે છે. BCCIએ આ માહિતી શ્રીલંકા ક્રિકેટ બોર્ડને ઈ-મેલ પર આપી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ સીરિઝ અગાઉ જ  રદ્દ થાય તેવી અપેક્ષા હતી કારણકે ભારતીય ખેલાડીઓએ ટ્રેનિંગ શરૂ કરી નથી. અને પ્રેક્ટિસ શરૂ થયા પછી પણ ખેલાડીઓ મેચ ફિટનેસ મેળવવા માટે ચારથી છ અઠવાડિયા લેશે. હાલમાં વિદેશ યાત્રા પર પણ પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં જૂન-જુલાઈમાં શ્રીલંકાનો પ્રવાસ શક્ય ન હતો.

Next Article