કેપ્ટન કોહલી આ ખેલાડીને ટીમમાં સ્થાન આપવા માટે ‘હેટ્રિક મેન’ શમીને કહી શકે છે ‘Bye Bye’!

|

Jun 29, 2019 | 6:39 AM

ICC વિશ્વ કપમાં ભારતીય ટીમ વિજય રથ પર સવાર છે પણ ટીમ મેનેજમેન્ટ અને વિરાટ કોહલી માટે ફાસ્ટ બોલર્સની પસંદગી કરવી ખુબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. 16 જૂને પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થવાને લીધે ભૂવનેશ્વર કુમાર અફગાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં રમી શક્યા નહતા. ભૂવનેશ્વરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા મોહમ્મદ શમીએ ભૂવનેશ્વર […]

કેપ્ટન કોહલી આ ખેલાડીને ટીમમાં સ્થાન આપવા માટે હેટ્રિક મેન શમીને કહી શકે છે Bye Bye!

Follow us on

ICC વિશ્વ કપમાં ભારતીય ટીમ વિજય રથ પર સવાર છે પણ ટીમ મેનેજમેન્ટ અને વિરાટ કોહલી માટે ફાસ્ટ બોલર્સની પસંદગી કરવી ખુબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. 16 જૂને પાકિસ્તાન સામેની મેચમાં ઈજાગ્રસ્ત થવાને લીધે ભૂવનેશ્વર કુમાર અફગાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં રમી શક્યા નહતા.

ભૂવનેશ્વરની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલા મોહમ્મદ શમીએ ભૂવનેશ્વર કુમારની ગેરહાજરીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ. અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે મોહમ્મદ શમીએ 4-4 વિકેટ લીધી હતી. જેમાં તેમની હેટ્રિક પણ સામેલ હતી.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શુ ફિટ થયા પછી ભૂવનેશ્વર કુમારને મોહમ્મદ શમીની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવશે. શું વિરાટ કોહલી ભૂવનેશ્વર કુમારને ટીમમાં સામેલ કરવા માટે મોહમ્મદ શમીને ટીમની બાહર કરશે.

આ મામલે વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ ખુબ મુશ્કેલીમાં નજર આવી રહ્યાં છે. જસપ્રીત બૂમરાહની જગ્યા તો નક્કી છે પણ ટીમમાં મોહમ્મદ શમીને સામેલ કર્યા પછી ભૂવનેશ્વર કુમારની જગ્યા ટીમમાં મુશ્કેલીમાં જોવા મળે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કેપ્ટન કોહલી માટે બૂમરાહ, શમી અને ભૂવનેશ્વરને એક સાથે ટીમમાં લેવા સરળ નથી. તે માટે કેપ્ટને કુલદીપ અને ચહલમાંથી કોઈ એક ખેલાડીને બાહર કરવા પડશે પણ તેનાથી ટીમનું સંતુલન બગડી શકે છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને PM મોદી સાથે લીધી Selfie, જુઓ ટ્વિટર પર શેર કરતા કેપ્શનમાં શું લખ્યુ

ઉલ્લેખનીય છે કે ભૂવનેશ્વર કુમાર વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચમાં રમી શક્યા નહતા પણ જો 30 જૂને ઈંગ્લેન્ડ સામે રમવા ફિટ થઈ જશે તો કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટ માટે ખેલાડીઓની પસંદગી કરવી ખુબ મુશ્કેલ થઈ જશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article