
T20 World Cup 2026 : ટી 20 વર્લ્ડકપ 2026ની 51મી મેચ પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની ટીમે 5 રનથી જીત મેળવી હતી પરંતુ તે સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરવાનું ચૂકી ગઈ છે. બીજી બાજુ શ્રીલંકાની ટીમનું પ્રદર્શન અત્યારસુધી કાંઈ ખાસ રહ્યું નથી. તેની ટૂર્નામેન્ટનો અંત હાર સાથે થયો છે. આ ખરાબ રમત બાદ ટીમમાં ધમાલ મચી ગઈ છે અને ટીમના હેડ કોચે પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો છે.
શ્રીલંકા ક્રિકેટ ટીમના હેડ કોચ સનથ જયસુર્યાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે આ જાહેરાત ટી20 વર્લ્ડકપ 2026માંથી ટીમ બહાર થયા બાદ લીધો હતો. જયસૂર્યાએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે, તેમનો કોન્ટ્રાક્ટ જૂન 2026 સુધીનો હતો પરંતુ હવે આગળ વધારવા માંગતા નથી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, હવે અન્ય કોઈને આ જવાબદારી સોપવાનો સમય આવી ગયો છે.
જયસૂર્યાએ 2024 ટી20 વર્લ્ડકપ પછી શ્રીલંકાના હેડ કોચની કમાન સંભાળી હતી. તેના કાર્યકાળની શરુઆત કાફી શાનદાર રહી હતી. ઓગસ્ટ 2024માં ભારત વિરુદ્ધ 27 વર્ષ પછી ઓડીઆઈ સીરિઝ જીતવી, સપ્ટેમબરમાં ધ ઓવલમાં ટેસ્ટ મેચ જીતી અને ઘરેલું મેદાન પર ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2-0થી ટેસ્ટ સીરિઝ જીતી હતી. આ સફળતા ટીમમાં નવી ઉર્જાને લઈ આવી હતી. પરંતુ બાદમાં મહિનામાં ટીમનું પ્રદર્શન નબળું જોવા મળ્યું હતુ. ટી20 વર્લ્ડકપ 2026માં તમામ મેચ પોતાના ઘર પર રમ્યા બાદ શ્રીલંકાની ટીમ સેમિફાઈનલમાં સ્થાન બનાવી સકી નહી. જે ટીમ માટે એક મોટો ઝટકો છે.
જોકે, જયસૂર્યાએ શ્રીલંકા ક્રિકેટ (SLC) બોર્ડને પોતાના નિર્ણયની અગાઉથી જાણ કરી ન હતી. આ નિર્ણય અચાનક આવ્યો હતો, જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે વર્લ્ડ કપ તેમનો છેલ્લો કાર્યકાળ હતો. પરિણામે, શ્રીલંકા ક્રિકેટ બોર્ડે હવે નવા કોચની શોધ કરવી પડશે. જોકે, જયસૂર્યા 13 માર્ચથી શારજાહમાં અફઘાનિસ્તાન સામેની મર્યાદિત ઓવરની સીરિઝ માટે ટીમ સાથે રહી શકે છે.
Published On - 9:20 am, Sun, 1 March 26