
Auqib Nabi replaces Jasprit Bumrah :જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને ટીમ ઈન્ડિયામાં તક મળી છે. શ્રીલંકા વિરુદ્ધ ભારતની ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહને રિપ્લેસ કરશે. બુમરાહને છેલ્લી ઘડીએ શ્રીલંકા પ્રવાસની ટેસ્ટ ટીમમાંથી બહાર થવું પડ્યું છે. તેના ઘૂંટણની ઈજા હજુ પણ છે. જેના કારણે બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને આરામ આપવાની સલાહ આફી છે. બુમરાહ બહાર થયા બાદ આ સવાલ સતત થઈ રહ્યો હતો કે, કોને તક મળશે. હવે સિલેક્ટર્સે આકિબ નબીના નામની જાહેરાત કરી દીધી છે.
:
Auqib Nabi replaces Jasprit Bumrah in India’s Test squad.
Details #TeamIndia | #SLvIND https://t.co/lAf25FbpDN
— BCCI (@BCCI) August 3, 2026
બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર આકિબ નબીની પસંદગીને લઈ જાણકારી શેર કરી અને જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના બોલરને પહેલી વખત ભારતની ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ છે.
આકિબ નબીને ભારતની ટેસ્ટ ટીમમાં તક તેના ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના કારણે મળી છે. નબીએ રણજી ટ્રોફીની છેલ્લી 2 સીઝનમાં 104 વિકેટ પોતાની નામ કરી છે. જેમાં 60 વિકેટ તેમણે 2025-26 સીઝનમાં લીધી છે. તેમજ જમ્મુ કાશ્મીરને રણજી ટ્રોફીનો પહેલો ખિતાબ જીતાડવામાં મદદ કરી હતી.
જમણા હાથના ફાસ્ટ બોલર નબી તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારત A ટીમનો પણ ભાગ હતા. તેમણે ત્યાં બે ટેસ્ટ મેચમાં છ વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકા રવાના થશે. અહી 7 ઓગસ્ટથી કોલંબોમાં એક 3 દિવસની વોર્મ અપ મેચ રમશે. તેમજ 15 ઓગસ્ટથી સીરિઝની પહેલી ટેસ્ટ ગોલમાં રમશે. બીજી ટેસ્ટની શરુઆત 22 ઓગસ્ટથી કોલંબોમાં થશે.
આકિબ નબી પાસે આઈપીએલ રમવાનો પણ અનુભવ છે. ગત્ત વર્ષે થયેલા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે તેને 8.40 કરોડની મોટી રકમમાં ટીમમાં સામેલ કર્યો હતો. પહેલી સીઝનમાં આશા અનુસાર પ્રદર્શન કરી શક્યો ન હતો. આખી સીઝનમાં 5 મેચ રમવાની તક મળી હતી. જેમાં તેમણે 13 ઓવર બોલિંગ કરી હતી. એક પણ વિકેટ લેવામાં સફળતા મળી ન હતી. આ અનુભવમાંથી શીખી હવે ટીમમાં સારા પ્રદર્શન કરવાની આશા છે.
Published On - 11:21 am, Mon, 3 August 26