Gujarati NewsSportsBcci secretary announces playoff and final schedule find out when where and at what time the match will start
T-20: પ્લેઓફ અને ફાઇનલના શિડ્યુલ બીસીસીઆઇ સેક્રેટરીએ જાહેર કર્યા, જાણો ક્યારે, કયાં અને કેટલા વાગે શરુ થશે મેચ
ટી-20 ની 13 મી સીઝન હવે તેની ચરમ સીમા પર પહોંચી છે. અત્યાર સુધીમાં ટી-20 લીગ 2020 માટે પ્લેઓફ રમવા વાળી ચાર ટીમો ક્વોલીફાઇ થઇ શકી નથી. આ દરમ્યાન જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ 2020 ના પ્લેઓફ માટેનુ શિડ્યુલ જાહેર કર્યુ છે. બીસીસીઆઇએ વુમન્સ ચેલેન્જ ટી-20 ના શિડ્યુલને પણ જાહેર કર્યુ છે. બીસીસીઆઇના સેક્રેટરી જય […]
Follow us on
ટી-20 ની 13 મી સીઝન હવે તેની ચરમ સીમા પર પહોંચી છે. અત્યાર સુધીમાં ટી-20 લીગ 2020 માટે પ્લેઓફ રમવા વાળી ચાર ટીમો ક્વોલીફાઇ થઇ શકી નથી. આ દરમ્યાન જ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઇએ 2020 ના પ્લેઓફ માટેનુ શિડ્યુલ જાહેર કર્યુ છે. બીસીસીઆઇએ વુમન્સ ચેલેન્જ ટી-20 ના શિડ્યુલને પણ જાહેર કર્યુ છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે આ શિડ્યુલને આજે જાહેર કર્યુ હતુ.
બીસીસીઆઇના મુજબ 5, નવેમ્બરે પ્રથમ ક્લોવીફાયર દુબઇ માં ભારતીય સમયાનુસાર સાંજે 07.00 કલાક થી શરુ થયુ છે. આ મેચ ટી-20 લીગ 2020 ના પોઇન્ટ ટેબલના પ્રથમ અને બીજા સ્થાન પર રહેનારી ટીમ વચ્ચે યોજવામાં આવશે. આમાં જે ટીમ વિજેતા બનશે તે ટીમ સીધી જ ફાઇનલમાં પહોંચી જશે.
6, નવેમ્બરે અબુધાબીના મેદાન પર એલીમિનેટર મેચ ભારતીય સમય મુજબ 07.00 વાગ્યે સાંજે શરુ થશે. આ મેચ પોઇન્ટ ટેબલ પર ત્રીજા અને ચૌથૈ સ્થાન પર રહેલી બે ટીમો વચ્ચે યોજવામાં આવશે. આ મેચને જીતવા વાળી ટીમ પ્રથમ ક્વોલીફાયર સામે લડશે. જ્યારે એલીમિનેટર મેચ હારવા વાળી ટીમ ની સફર ટી-20 લીગ થી સમાપ્ત થઇ જશે. બીજી ક્વોલીફાયર મેચ પ્રથમ ક્વોલીફાયર થી હારનારી ટીમ અને એલિમિનેટર મેચ ને જીતવા વાળી ટીમ વચ્ચે 8, નવેમ્બરે અબુધાબીના મેદાન પર યોજવામાં આવશે. જે પણ અગાઉની મેચોની જેમ જ સાંજે સાત કલાકે શરુ થશે.
ફાઇનલ મેચ ક્વોલીફાયર એક ના વિજેતા અને ક્લોવીફાયર બેના વિજેતા બનેલી ટીમો વચ્ચે યોજવામાં આવશે. જે મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમમાં 10, નવેમ્બરે સાંજે સાડા સાત વાગ્યે રમવામાં આવશે. આમ ટી-20 લીગની ફાઇનર મેચ પણ દર્શકોની ગેરહાજરીમાં પણ રંગારંગ રીતે દુબઇમાં યોજવામાં આવશે. ટુર્નામેન્ટની શરુઆત થી જ સ્ટેડીયમમાં દર્શકોને પ્રવેશ માટે મંજુરી અપાઇ નહોતી અને દર્શકોની ગેરહાજરી વચ્ચે જ ટુર્નામેન્ટ શરુ કરાઇ હતી. જે એક રીતે પડકારજનક સ્થિતી હતી, કોરોના મહામારી દરમ્યાન. જોકે બીસીસીઆઇ એ તેને સફળતા પુર્વક અત્યાર સુધીની સફરને ધપાવી છે.