BCCI: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) નુ સ્તર દિવસે દિવસે ટફ થતુ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર લગાતાર વધતા જતા પડકારોને જોઇને હવે ટીમ ઇન્ડીયા (Team India) માં એન્ટ્રી માટેના રસ્તાને થોડો વધારે મુશ્કેલ બનાવી દીધો છે. જોકે આ તૈયારી પણ આવતીકાલની જીત માટેની છે.
ભારતીય ક્રિકેટ બોર્ડએ હવે 2 કિલોમીટરનો ફરજીયાત ટ્રાયલ લોન્ચ કર્યો છે. જે ટ્રાયલ તમામ ખેલાડીઓની સ્પિડ અને તેમની સ્ફુર્તી ને પારખવા માટે હશે. BCCI સાથે કરાર કરનારા તમામ ખેલાડીઓએ આ અનિવાર્ય ટ્રાયલ થી પસાર થવુ પડશે. ટીમ ઇન્ડીયામાં એન્ટ્રી માટે યો-યો ટેસ્ટ પાસ કરવા ઉપરાંત હવે BCCI એ લોન્ચ કરેલા નવા ટ્રાયલ પર પણ ખરા ઉતરવુ પડશે.
બીસીસીઆઇના એક અધિકારીએ ધ ઇન્ડીયન એક્સપ્રેસને બતાવ્યુ હતુ કે, બોર્ડે માન્યુ છે કે, ટીમની હાલની ફિટનેશન સ્ટાન્ડર્ડએ તેની સફળતામાં મહત્વનો રોલ પ્લે કર્યો છે. જોકે હવે સમય છે, પોતાના ફીટનેશના સ્તરને અલગ લેવલ પર લઇ જવાનો. અમારા માટે એમ કરવુ મહત્વપુર્ણ છે. એક સિમીત સમયની અંદર 2 કિલોમીટરના ટ્રાયલ રનથી અમને તેમાં મદદ મળશે અને અમે ખેલાડીઓના ફિટનેશને વધારે સારી શ્રેષ્ઠ બનાવી શકશે. બોર્ડ દર વર્ષે ખેલાડીઓના ફિટનેસ સ્ટાન્ડર્ડને અપડેટ મેળવતુ રહેશે.
બોર્ડ દ્રારા બનાવેલા ફિટનેશના નવા રુલના મુજબ, ઝડપી બોલરો માટે 2 કિલોમીટરનો ટ્રાયલ રન 8 મીનીટ 15 સેકન્ડમાં પુરો કરવાનો રહેશે. જ્યારે બેટ્સમેન, વિકેટકીપર અને સ્પિનરને માટે તેનુ માપ 8 મિનીટ 30 સેકન્ડનો રહેશે. જ્યારે યો-યો ટેસ્ટ પાસ કરવાનો મીનીમમ સ્કોર 17.1 હશે. બીસીસીઆઇ અનુબંધિત તમામ ખેલાડીઓને નવા રુલ ને લઇને સૂચિત કરી દેવામાં આવ્યુ છે. આ નવા નિયમને બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહનુ ગ્રીન સિગ્નલ પણ મળી ચુક્યુ છે. આ ટેસ્ટ માટે વર્ષમાં ત્રણ વિંડો ફેબ્રુઆરી, જૂન અને ઓગષ્ટ-સપ્ટેમ્બર ક્રિએટ કરવામાં આવ્યા છે.
બીસીસીઆઇના નવા નિયમનુ પાલન ઇંગ્લેંડ સામેની વ્હાઇટ બોલ સિરીઝ થી શરુ થઇ જશે. તે સિરીઝમાં રમવા માટે ખેલાડીઓએ 2 કિલોમીટરના ટ્રાયલ રનમાંથી પસાર થવુ પડશે. આ ઉપરાંત T20 વિશ્વકપમાં પણ સ્થાન બનાવવા માટે પણ નવા નિયમને અનુસરવુ પડશે. નવા ટેસ્ટને ખેલાડીએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં અથવા ટીમ ઇન્ડીયાના સ્ટ્રેન્થ અને કંડીશનિંગ મેમ્બર સામે આપી શકાય છે અને પાસ કરી શકાય છે.
Published On - 1:11 pm, Sat, 23 January 21