IND vs SA: સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, દક્ષિણ આફ્રિકાની સીરિઝમાં જોવા મળશે અસર, જાણો શું છે મામલો

|

May 19, 2022 | 5:02 PM

કોવિડના કારણે દર્શકોએ સ્ટેડિયમમાં આવવાનું બંધ કરી દીધું હતું, પરંતુ પછી ધીરે ધીરે દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ અને હવે BCCIએ આ અંગે એક મોટું પગલું ભર્યું છે જે IND vs SA ( India vs South Africa)સીરિઝમાં જોવા મળશે.

IND vs SA: સ્ટેડિયમમાં દર્શકોના પ્રવેશને લઈને BCCIએ લીધો મોટો નિર્ણય, દક્ષિણ આફ્રિકાની સીરિઝમાં જોવા મળશે અસર, જાણો શું છે મામલો
ફાઈલ ફોટો
Image Credit source: file photo

Follow us on

IND vs SA: ભારતીય ખેલાડીઓ હાલમાં IPL રમી રહ્યા છે અને ત્યારબાદ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત થઈ જશે. IPL પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવશે ( India vs South Africa) અને પાંચ મેચની T20 સીરિઝ રમશે. આ સીરિઝ પહેલા ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ સીરિઝ માટે દર્શકોને પ્રવેશ આપવા માટે તૈયાર છે, તે પણ કોઈપણ deduction વિના. સમાચાર એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે BCCIએ T20 સીરિઝ દરમિયાન સ્ટેડિયમની સંખ્યા અનુસાર 100 ટકા દર્શકોને આવવાની મંજૂરી આપી છે. એટલે કે ભારત અને સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન સ્ટેડિયમ ફરી એકવાર ખીચોખીચ ભરેલું જોવા મળશે.

આ પાંચ મેચોની T20 સીરિઝની પ્રથમ મેચ 9 જૂને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચ 12 જૂને ઓડિશાના કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી મેચ વિશાખાપટ્ટનમના ACA-VCA સ્ટેડિયમમાં રમાશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઓફ રાજકોટ સ્ટેડિયમમાં ચોથી મેચનું આયોજન કરશે. પાંચમી મેચ 19 જૂને બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

સ્ટેડિયમમાં દર્શકો જોવા મળશે

 

100 ટકા મંજૂરી ન હતી

કોવિડના કારણે સ્ટેડિયમમાં દર્શકોના આવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ રાઉન્ડની મેચો પણ ખાલી સ્ટેડિયમોમાં રમાઈ હતી. કોવિડ કેસ ઓછા થઈ ગયા છે, જોકે સ્ટેડિયમમાં ધીમે-ધીમે દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં સ્ટેડિયમની સંપૂર્ણ સંખ્યા અનુસાર એન્ટ્રી આપવામાં આવી ન હતી. સ્ટેડિયમમાં ક્યારેક 50 ટકા તો ક્યારેક 70 ટકા દર્શકો જોવા મળ્યા હતા. ભારત અને શ્રીલંકા સિવાય ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી સીરિઝમાં પણ આ જોવા મળ્યું હતું. આ સમયે દર્શકોને IPLમાં જોઈ શકાશે. પરંતુ અહીં પણ 100% મંજૂરી નથી. કોવિડ પછી આ પ્રથમ વખત છે, જ્યારે બીસીસીઆઈએ સીરિઝ માટે 100 ટકા દર્શકોને મંજૂરી આપી છે.

દક્ષિણ આફ્રિકાની પ્રથમ સીરિઝ

ગયા વર્ષે રમાયેલા T20 વર્લ્ડકપ બાદ દક્ષિણ આફ્રિકાની આ પ્રથમ ટી20 સીરિઝ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ સીરિઝ બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ,આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં અન્ય T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને આ બંને ટીમો આ વર્લ્ડ કપમાં એક જ ગ્રુપમાં છે. આ બંને સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમો છે. આવી સ્થિતિમાં આ વર્લ્ડકપની તૈયારીની દૃષ્ટિએ આ સીરિઝ મહત્વપૂર્ણ છે.

Next Article