AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: મોટેરા સ્ટેડિયમમાં 50% દર્શકોને એન્ટ્રી અપાશે, PM મોદી હાજર રહે તેવી શક્યતા

Ahmedabad: દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ત્રીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા 50% દર્શકોને એન્ટ્રી મળશે તે નક્કી થઈ ગયું છે.

Ahmedabad: મોટેરા સ્ટેડિયમમાં 50% દર્શકોને એન્ટ્રી અપાશે, PM મોદી હાજર રહે તેવી શક્યતા
મોટેરા સ્ટેડિયમ ફોટો
Follow Us:
| Updated on: Feb 01, 2021 | 2:24 PM

Ahmedabad: ભારતમાં કોરોના બાદ ક્રિકેટની રમત વાપસી માટે તૈયાર છે. ઇંગ્લેન્ડ સામે 4 ટેસ્ટ શ્રેણીની પ્રથમ 2 ટેસ્ટ ચેન્નાઈના એમ. ચિદમ્બરમ્બ ખાતે રમાશે. પ્રથમ ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નથી. જ્યારે બીજી ટેસ્ટ અંગે સસ્પેન્સ યથાવત છે. ત્યારે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ખાતે ત્રીજી ટેસ્ટમાં ઓછામાં ઓછા 50% દર્શકોને એન્ટ્રી મળશે તે નક્કી થઈ ગયું છે. મોટેરા ખાતેની સર્વપ્રથમ ટેસ્ટ માટે PM નરેન્દ્ર મોદી પોતે પણ હાજર રહે તેવી શક્યતા છે.

100% ફેન્સને પણ એન્ટ્રી મળી શકે

27 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરી હતી. આ SOP અનુસાર 50% દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ માટે છૂટ મળશે. તેમાં ઉલ્લેખ કરાયો છે કે, “દરેક સ્પર્ધાનું ગૃહ મંત્રાલય (MHA)ની ગાઇડલાઇન્સ હેઠળ આયોજન થવું જરૂરી છે. જોકે, 2 દિવસ પહેલાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ અપડેટ કરેલી SOP અનુસાર 100% દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રીની મંજૂરી અપાઇ છે. ત્યારે એવું પણ કહેવાઇ રહ્યું છેકે મોટેરા સ્ટેડિયમ હાઉસફૂલ પણ થઈ શકે.

ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો પગાર કેટલો હતો?
શું મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ થાય છે?
Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો વરિયાળી, આ છે સૌથી સરળ ટીપ્સ
Vitamin P: આ વસ્તુઓ ખાવાથી તમને વિટામિન P મળશે, તમારા આહારમાં તેનો સમાવેશ કરો
Vastu tips: પૂજા સ્થાનમાં લગાવો સૌભાગ્યના આ 5 રંગો, સુખ-શાંતિ ઘરમાં રહેશે
વિકી કૌશલનો પરિવાર છે ફિલ્મી, જુઓ ફોટો

પિન્ક બોલથી રમાશે મોટેરા ખાતેની પ્રથમ મેચ અમદાવાદના નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ ડે-નાઈટ ટેસ્ટમાં ઇન્ડિયા ટીમ ઇંગ્લેન્ડ સામે ટકરાશે. 18 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ અમદાવાદ આવશે. આ ડે-નાઈટ ટેસ્ટ પિન્ક બોલથી રમાશે.

g clip-path="url(#clip0_868_265)">