સંસદના શિયાળુ સત્રની શરૂઆત 18 નવેમ્બરથી થઈ શકે છે. 13 ડિસેમ્બર સુધી સત્ર ચાલી શકે છે. આ અંગે સંસદીય મામલા સમિતિની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સંસદિય સમિતિના વડા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સંસદ સત્રની તારીખ નક્કી કરાઈ છે. આવતા સપ્તાહમાં આ અંગેની વિધિવત જાહેરાત કરવામાં આવશે.
સત્રમાં વિવિધ ખરડાઓ ઉપરાંત, સરકાર બે મહત્ત્વના જાહેરનામાને કાયદામાં પરિવર્તિત કરવા વિચારી રહી છે. પ્રથમ ઓર્ડિનેન્સ સપ્ટેમ્બરમાં જારી કરાયો હતો. જેનાથી આવક વેરા ધારા, 1961માં કરેલા સુધાર કરવા દેશમાં ઊભી થયેલી આર્થિક મંદીને રોકવા અને વૃદ્ધિ દરમાં વધારો કરવા નવા અને ઘરેલું ઉત્પાદન એકમો અને કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ ઘટાડવા નિર્ણય લેવાશે. તો ઈ-સિગારેટ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોનું નિર્માણ, સ્ટોરેજ સહિતના મુદ્દે સરકાર કાનૂન બનાવી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો