શિવસેનાના મુખપુત્રમાં ભાજપ ફરી પ્રહારો કરવામાં આવ્યા છે. આ વખતે મુદો ફ્રિડમ ઓફ સ્પીચ એટલે કે અભિવ્યક્તિની આઝાદીનો છે. શિવસેનાએ માગણી કરી છે સાવરકર પર કોઈ અશોભનીય ટિપ્પણી કરવામાં આવે તો તેની સામે કેસ દાખલ કરાશે તેવો આદેશ સરકાર જાહેર કરે. આ સિવાય શિવસેનાએ સાવરકર માટે ભારત રત્નની પણ માગણી કરી છે.
આ પણ વાંચો : મોટી આવક ધરાવતા 65 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને લઈને સરકારે કર્યો આ નિર્ણય, વાંચો વિગત
જો કે શિવસેનાએ સામનામાં જેએનયુના વિદ્યાર્થીઓના મુદા મામલે પણ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. કહેવામાં આવ્યું કે મોદી સરકારે જેએનયુના વિદ્યાર્થીઓ પર કેસ દાખલ કર્યા છે. ભાજપનું વલણ શિવાજીની પુસ્તિકા અને જેએનયુ મામલે અલગ કેમ છે તેવો વેધક સવાલ પણ શિવસેનાએ કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો