અનિલ દેશમુખ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ કેમ મૌન : દેવેન્દ્ર ફડનવીસ

|

Mar 24, 2021 | 4:26 PM

મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બમાં રાજ્યના ગૃહ મંત્રી પર 100 કરોડની વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેનો બાદ તેને લઇને રાજકારણમાં ગરમાવામાં લાગ્યું છે. ભાજપ આ કેસમાં હવે આક્રમક બન્યું છે. રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસ સતત ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે.

અનિલ દેશમુખ મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ કેમ મૌન : દેવેન્દ્ર ફડનવીસ
Devnendra Fadnvis File Image

Follow us on

મુંબઈ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના લેટર બોમ્બમાં રાજ્યના ગૃહ મંત્રી પર 100 કરોડની વસૂલીનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેનો બાદ તેને લઇને રાજકારણમાં ગરમાવામાં લાગ્યું છે. ભાજપ આ કેસમાં હવે આક્રમક બન્યું છે. રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડનવીસ સતત ઉદ્ધવ ઠાકરે સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. તેમજ હવે મહાવિકાસ અધાડી પર પણ પ્રહારો શરૂ કર્યા છે.

આ ઉપરાંત દેવેન્દ્ર ફડનવીસે બુધવારે રાજયપાલ ભગતસિંહ કોશિયારીને ભાજપના અનેક નેતાઓ સાથે મળ્યા હતા. તેમજ તેમને આવેદનપત્ર સોંપ્યું હતું. જેમાં રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ફડનવીસે કહ્યું કે આ દુખની વાત છે કે આ સમગ્ર કેસમાં સીએમ ઠાકરે મૌન કેમ છે. શરદ પવારે બે દિવસ પૂર્વે સરકાર અને અનિલ દેશમુખનો બચાવ કર્યો. જયારે કોંગ્રેસ હાલ અસ્તિત્વમાં નથી. તેમણે ફરી એકવાર મહાવિકાસ અધાડી સરકારને મહાવસુલી સરકાર ગણાવી હતી.

તેમણે કહ્યું કે કોંગ્રેસે જે રીતે મૌન રાખ્યું છે તે રીતે તેમણે જણાવવું જોઇએ કે તેમને કેટલો હિસ્સો મળવો જોઇએ. તેમણે કહ્યું કે અમે રાજ્યપાલ સમક્ષ સમગ્ર કેસ મૂક્યો છે. અમને આશા છે કે આ કેસમાં ગર્વનરે વાત કરવી જોઇએ અને સીએમને પૂછવું જોઈએ કે આખરે આ અંગે તેમણે શું કાર્યવાહી કરી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

મુંબઇના પૂર્વ કમિશ્નરે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં રાજ્યના હોમ મિનિસ્ટર Anil Deshmukh પર ગંભીર આરોપ લગાવ્યો છે. જેની બાદ ભાજપ સતત હોમ મિનિસ્ટર Anil Deshmukh નું રાજીનામું માંગી રહ્યું છે. જેમાં પૂર્વ પોલીસ કમિશ્નરે લેટર બોમ્બમાં આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી અનિલ દેશમુખે એંટીલિયા કાંડમાં ફસાયેલા સચિન વાઝેને માસિક રૂપિયા 100 કરોડ એકત્ર કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહને હાલમાં બદલી કરીને ડીજઇ હોમગાર્ડ બનાવવામાં આવ્યા છે. તેની બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

આ ઉપરાંત પરમબીરસિંહે પોતાની ટ્રાન્સફરને લઇને સુપ્રીમ કોર્ટમાં સોમેવારે અરજી કરી હતી. જો કે આજે તેની સુનવણી દરમ્યાન સુપ્રિમ કોર્ટ આ અરજીને નકારી દીધી હતી. તેમજ કહ્યું હતું કે પ્રોટીકોલ મુજબ તેમણે આ મુદ્દે પ્રથમ હાઇકોર્ટમાં અરજી કરવાની જરૂર હતી. જેના પગલે હવે પરમબીરસિંહના એડવોકેટ આ અરજી હવે હાઇકોર્ટમાં કરશે તેમ જણાવ્યું છે.

Published On - 4:25 pm, Wed, 24 March 21

Next Article