5 રાજ્યોમાં ભાજપની હારનું ઠીકરું કોના માથે ફૂટશે?

|

Dec 11, 2018 | 12:41 PM

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમિ ફાઈનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો છે.પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. ત્યારે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કારમી હારનું ઠીકરું ભાજપ કોના પર ફોડશે?  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી કે 3 નેતાઓ પર […]

5 રાજ્યોમાં ભાજપની હારનું ઠીકરું કોના માથે ફૂટશે?

Follow us on

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમિ ફાઈનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો છે.પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. ત્યારે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કારમી હારનું ઠીકરું ભાજપ કોના પર ફોડશે? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી કે 3 નેતાઓ પર હારનું ફૂટશે ઠીકરું?

રાજસ્થાનમાં તો ‘મોદી સે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં’નો નારો ચરિતાર્થ થયો. તો મધ્યપ્રદેશના મામા એટલે કે શિવરાજસિંહ ચૌહાણની લહેર ન ચાલી અને છત્તીસગઢના ચાવલ બાબા એટલે રમનસિંગનો ગઢ પણ 15 વર્ષ બાદ કોંગ્રેસે સર કરી લીધો છે. પણ એ વાતમાં કોઈ બેમત નથી કે આ ત્રણેય રાજ્યોના પરિણામો ભાજપ માટે આત્મમંથન માગતા સાબિત થયા છે. પણ આખરે સવાલ એ છે કે હાર માટે જવાબદાર કોણ?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રમનસિંહના શિરે ફૂટશે હારનું ઠીકરું?

છત્તીસગઢમાં ભાજપની હાર થતાં હારનું ઠીકરું 15 વર્ષથી મુખ્યપ્રધાન રહેલા રમનસિંહ પર ફૂટી શકે છે. નહીં તો કેન્દ્રીય નેતૃત્વ જવાબદાર ગણાશે. 

શિવરાજસિંહને ઠેરવાશે જવાબદાર?

તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહનો ગઢ કોંગ્રેસ સર કરી લીધો છે. આમ તો શિવરાજસિંહ ચૌહાણ જમીની નેતા છે એવામાં ભાજપની હાર માટે શિવરાજની જવાબદારી રહેશે. જોકે વડાપ્રધાન મોદી માટે આ ચિંતાનો વિષય બની રહેશે. 

મહારાણીને કોણ લઈ ડૂબ્યું?

રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાના વિરોધમાં પહેલેથી જ લહેર હતી. પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ પર નારાજ હોવાની વાતો પણ સામે આવતી રહી છે. ટિકિટ વહેંચણીમાં વસુંધરા રાજે જ સર્વે સર્વા સાબિત થતાં હાર માટે પણ મહારાણી જ જવાબદાર ઠેરવાશે.

આ પાંચેય રાજ્યોમાં ભાજપનો વિજય થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રચાર-પ્રસારમાં કોઈ કચાશ નહોતી છોડી, એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં પણ 3 રાજ્યોમાં ભાજપે કારમી હારનો સામનો કરવો પડ્યો તેનાથી મોદી અને શાહ માટે ચિંતા ઘેરી બની છે. એ વાતમાં કોઈ બેમત નથી કે લોકસભા ચૂંટણી પહેલા આ રાજ્યોમાં ભાજપની પકડ મજબૂત બનાવવાનો પડકાર ભાજપ સામે છે.

[yop_poll id=211]

Published On - 12:41 pm, Tue, 11 December 18

Next Article