West Bengal Election: ભાજપને હરાવવા કિસાન નેતાઓ મેદાનમાં, નંદીગ્રામમાં આજે મહાપંચાયત

|

Mar 13, 2021 | 11:47 AM

West Bengal Election: ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ત્રણ મહિના કરતા વધુ સમયથી દિલ્હીની સરહદે બેસેલા ખેડૂત સંગઠનોના વરિષ્ઠ નેતાઓ હવે પશ્ચિમ બંગાળ તરફ નજર દોડાવી રહ્યા છે.

West Bengal Election: ભાજપને હરાવવા કિસાન નેતાઓ મેદાનમાં, નંદીગ્રામમાં આજે મહાપંચાયત
ટિકૈત અને યોગેન્દ્ર યાદવ રહેશે ઉપસ્થિત

Follow us on

West Bengal Election: ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ત્રણ મહિના કરતા વધુ સમયથી દિલ્હીની સરહદે બેસેલા ખેડૂત સંગઠનોના વરિષ્ઠ નેતાઓ હવે પશ્ચિમ બંગાળ તરફ નજર દોડાવી રહ્યા છે. હવે આ નેતાઓ પશ્ચિમ બંગાળ પહોંચ્યા છે અને ભાજપ સામે મોરચો ખોલ્યો છે. શુક્રવારથી સતત ત્રણ દિવસ સુધી ખેડૂત આગેવાનો મહાપંચાયતો, રેલીઓ, જાહેર સભાઓ વગેરે દ્વારા નવા કાયદા સામે ભાજપનો ઘેરાવો કરશે.

તેમના કાર્યક્રમોમાં મોરચાના નેતાઓ બંગાળના લોકોને ભાજપને મત ન આપવા અપીલ કરશે. તે કોઈ એક પક્ષને ટેકો નહીં આપવાના માર્ગ પર છે, તેમનો ઉદ્દેશ બીજી પાર્ટીના ઉમેદવારને જીતવાનો છે કે જે ભાજપ સાથે સ્પર્ધા કરશે. આમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સીટ શામેલ છે, જેમાં નંદિગ્રામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

બંગાળની ગલીઓમાં ભાજપ સામે ખેડૂતોનો રોડ શો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સમય કહેશે કે આ વ્યૂહરચના બંગાળની ચૂંટણીને કેટલી અસર કરે છે. પરંતુ ખેડૂતોના આ રાજકીય પગલાથી ભાજપના નેતાઓ ચિંતિત બન્યા છે. બંગાળમાં ખેડૂતોના આગમનને કારણે તૃણમૂલ કોંગ્રેસ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓ પણ ફાયદો ઉપાડવા જોડાયા છે. સંયુક્ત કિસાન મોરચો 12 થી 14 માર્ચ દરમિયાન એક પછી એક રેલીઓ, રોડ શો, કિસાન મહાપંચાયતો કરશે. જે કોલકાતા, નંદિગ્રામ, સિંગુર, આસનસોલમાં જાહેર સભાઓ યોજશે. આ ઉપરાંત મોરચાના નેતા સ્થાનિક લોકો દ્વારા પણ પોતાની વાત સામાન્ય લોકો સુધી પહોંચાડશે. લોકોમાં કૃષિ સંબંધિત નવી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવશે.

ટિકૈત અને યોગેન્દ્ર યાદવ રહેશે ઉપસ્થિત

આ કાર્યક્રમોમાં મોરચાના ટોચના નેતાઓમાં રાકેશ ટિકૈત, બલબીરસિંહ રાજેવાલ, ગુરનમસિંહ ચઢુની, હન્નાન મુલ્લા, યુધવીર સિંહ ઉપરાંત મેધા પાટકર, યોગેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે. આ નેતાઓ ખેડૂત ઉપરાંત મજૂરો અને ગરીબોને કૃષિ કાયદા દ્વારા થતા નુકસાન વિશે જણાવશે. સભાઓમાં દોઢસોથી આંદોલનકારી ખેડુતોના મોતનો મુદ્દો ઉઠાવીણે ભાજપ પર પ્રહાર કરશે.

ખેડુતો બૌદ્ધિક લોકો સાથે પણ કરશે કૃષિ કાયદાની ચર્ચા

ખેડૂત નેતાઓ ભવાનીપુરમાં સમાજના બુદ્ધિજીવીઓ સાથે કૃષિ કાયદાની ચર્ચા કરશે. આ સિવાય શનિવારે એટલે કે આજે બંગાળની સૌથી હાઇપ્રોફાઇલ વિધાનસભા બેઠક પર નંદિગ્રામમાં સંયુક્ત કિસાન મોરચા કિસાન મહાપંચાયત કરશે. નિષ્ણાંતોનું કહેવું છે કે ભાજપ સામે ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવેલા આંદોલનને કારણે આની ચૂંટણી પર અસર પડશે. બંગાળ ઉપરાંત સંયુક્ત મોરચા પણ આસામ, કેરળ, તામિલનાડુમાં ભાજપ વિરુદ્ધ કિસાન પંચાયતોની યોજના બનાવી રહ્યું છે. તેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે છે.

Next Article