કાશી, અયોધ્યા અને ગોરખપુર લશ્કર-એ-તૈયબાના નિશાના પર! થઈ શકે છે મોટો હુમલો

|

Aug 29, 2019 | 12:12 PM

બાલાકોટ એર સ્ટ્રાઈક અને ત્યારબાદ કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ભારતમાં આતંકવાદી હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી, ભગવાન રામનું અયોધ્યા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું શહેર ગોરખપુર લશ્કરના નિશાના પર છે. આ સ્થાનો પર આતંકવાદી હુમલા કરવાની જેને જવાબદારી સોંપી […]

કાશી, અયોધ્યા અને ગોરખપુર લશ્કર-એ-તૈયબાના નિશાના પર! થઈ શકે છે મોટો હુમલો

Follow us on

બાલાકોટ એર સ્ટ્રાઈક અને ત્યારબાદ કાશ્મીરમાંથી કલમ 370 રદ્દ કર્યા બાદ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા ભારતમાં આતંકવાદી હુમલા કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી, ભગવાન રામનું અયોધ્યા અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું શહેર ગોરખપુર લશ્કરના નિશાના પર છે. આ સ્થાનો પર આતંકવાદી હુમલા કરવાની જેને જવાબદારી સોંપી છે તેણે તાજેતરમાં વારાણસીની રેકી કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુપ્તચર સુત્રોના જણાવ્યા અનુસાર નેપાળના જનકપુર જિલ્લાના ધનસરામાં રહેતા બિહારના મધુબની જિલ્લાના બલકટવામાં રહેતા આતંકવાદી મોહમ્મદ ઓમર મદનીની આ વર્ષે માર્ચ અને મે મહિનામાં કાશી અને અન્ય સ્થળોએ બીજા નેપાળી યુવકો સાથે મુલાકાત થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મદની ઉત્તર પ્રદેશના લશ્કરના સ્લીપર સેલ્સને સક્રિય કરવામાં વ્યસ્ત છે જેથી કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકાય. ઈન્ટેલિજન્સ ઇનપુટ મુજબ મદનીએ સ્લીપર સેલ અને ફરાર આતંકવાદીઓને મોટા વિસ્ફોટ કરવા સૂચના આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઈનપુટ રિપોર્ટ બાદ ગુપ્તચર એજન્સીની તકેદારી વધારી દેવામાં આવી છે. વારાણસીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે તેમજ ઈનપુટના આધારે સ્થાનિક પોલીસને વધારાની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાને ભારત સાથે યુદ્ધની તૈયારી કરી તેજ! ભારતને રહેવું પડશે શતર્ક, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article