ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સામૂહિક હત્યાની ખબર સામે આવી છે. સોનભદ્રના DM અંકિત કુમાર મુજબ જમીનના મામલામાં બે જૂથ વચ્ચે ફાયરિંગ થયું છે. જેમાં એક જ જૂથના 9 લોકોની હત્યા થઈ છે. તો અથડામણમાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે. ત્યારે મોતનો આંકડો વધી શકે છે. અગાઉ પણ જમીનના મામલે 2 લોકોની હત્યા કરી દેવાઈ હતી. આ સમગ્ર ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સોનભદ્રની ઘટના બાદ યોગી આદિત્યનાથે તુરંત આદેશ આપી દીધા છે. સાથે મૃતકોના પરિવાર માટે પોતાની સંવેદના પણ દર્શાવી છે. તો બીજી તરફ ઘાયલોને યોગ્ય સારવાર પૂરી પાડવા DMને આદેશ આપી દીધા છે. સાથે આરોપીઓની તરત ધરપકડ કરવાના આદેશ પણ આપી દેવાની માહિતી સામે આવે છે. મામલો ભલે જમીન સાથે જોડાયેલો છે. પરંતુ સમગ્ર ઘટના બાદ પોલીસની સતર્કતા પર સવાલ છે.
Published On - 12:32 pm, Wed, 17 July 19