દિલ્હીની એક અદાલતે 2017ના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપના બરખાસ્ત ધારાસભ્ય કુલદીપ સેંગરની વિરુદ્ધ શુક્રવારે ગુનાઓ નક્કી કરાયા છે. જિલ્લા ન્યાયાધીશ ધર્મેશ શર્માએ સેંગર અને તેના સાથે શશિ સિંહ વિરુદ્ધ પીડિતાનું અપહરણના ગુનાઓ દાખલ કર્યા છે. શશિ સિંહ આ સમયે દિલ્હીની એમ્સમાં દાખલ છે. અદાલતે IPC મુજબ 120 ગુનો કરવાનું ષડયંત્ર, 363 અપહરણ, 366 અપહરણ અને મહિલા પર લગ્ન માટે દબાણ કરવું, 376 નાબાલિક સાથે દુષ્કર્મના ગુના પોક્સો એક્ટ આધારીત દાખલ કર્યા છે.
આ પણ વાંચોઃ દર્દીઓ માટે રાહતના સમાચાર, SVP હોસ્પિટલમાં મળશે સસ્તી જેનેરિક દવાઓ, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
CBI દ્વારા ગુરુવારે અદાલતમાં પક્ષ રાખતા કહ્યું કે, કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈએ પીડિતાના પિતા પર હુમલો કર્યો અને ત્રણ રાજ્યની પોલીસ અધિકારી સહિત પાંચ અન્ય લોકો સાથે મળીને ગુનામાં ફસાવ્યા હતા. તો બીજી તરફ એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, ઉન્નાવ દુષ્કર્મ કેસની પીડિતા અને તેના વકીલની હાલત નાજુક છે. આ બંને લોકોને લાઈફ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 28 જુલાઈના દિવસે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 19 વર્ષની પીડિતા અને તેના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તો પીડિતાના માસી અને કાકીનું મૃત્યુ થયું છે. યોગ્ય સારવાર માટે પીડિતાને લખનઉથી હવાઈ માર્ગ દ્વારા દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
[yop_poll id=”1″]