1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

|

Nov 26, 2019 | 3:18 PM

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર […]

1 ડિસેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરે લેશે CM પદના શપથ, NCP-કોંગ્રેસને DyCM પદ

Follow us on

મહારાષ્ટ્રની રાજનીતિના ડ્રામાનો અંતે અંત આવી ગયો છે. ગઠબંધનની સામે ભાજપને સરકાર છોડવી પડી છે અને હવે નવા સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. ભાજપના નેતા કાલિદાસ કોલંબકર પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને બુધવારના રોજ સવારે 8 વાગ્યે વિધાનસભાનું પ્રથમ સત્ર બોલાવવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો :   જાણો 80 કલાકમાં મહારાષ્ટ્રમાં એવું તો શું થયું કે ફડણવીસે આપવું પડ્યું રાજીનામું

હોટેલ ટ્રાઈડેંટમાં ત્રણેય પાર્ટીઓના નેતા દ્વારા ગઠબંધનના નેતા તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર મહોર મારવામાં આવી છે. આ બાજુ ઉદ્ધવ ઠાકરેએ પણ કોંગ્રેસના નેતાઓનો આભાર માન્યો હતો અને કહ્યું કે મેં ક્યારેય રાજ્યના નેતૃત્ત્વ કરવા અંગે વિચાર્યું નહોતું. હું સોનિયા ગાંધીને ધન્યવાદ આપવા માગું છું. અમે એકબીજા પર વિશ્વાસ રાખીને દેશને નવી દિશા આપી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શરદ પવારે કહ્યું કે મહાવિકાસ આઘાડી ગઠબંધનના ત્રણ સભ્યો આજે રાજ્યપાલને મળશે. મુંબઈના શિવાજી પાર્કમાં 1 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ સમારંભ યોજવામાં આવશે. જો ગઠબંધનની સરકારમાં બેે ડેપ્યુટી સીએમ રહેશે. જેમાં કોંગ્રેસના બાલા સાહેબ થોરાટ તો એનસીપીના જયંત પાટીલનો સમાવેશ થાય છે. આમ શીવસેનાને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું છે તો કોંગ્રેસ અને એનસીપીના નેતાઓને ઉપ-મુખ્યમંત્રીના પદ આપવામાં આવ્યા છે. સંજ્ય રાઉતે કહ્યું કે આ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કરશે જ્યારે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામાની જાહેરાત સમયે મીડિયાને કહ્યું કે ત્રણ પૈડાવાળી સરકાર ચાલશે કેવી રીતે? આમ આ સરકારનું ભવિષ્ય તો આવનારો સમય જ નક્કી કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article