મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

|

Nov 29, 2019 | 10:33 AM

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શપથવિધિનું ભવ્ય આયોજન કરાયું છે.ત્યારે શપથવિધિમાં હાજર રહેવા દેશભરમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને નેતાઓ હાજર રહ્યા છે. ત્યારે આ શપથવિધિમાં કેટલાક ખાસ ચહેરા પર સૌ કોઈની નજર રહી છે. જેમાં NCP નેતા અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સમારોહનું કેન્દ્ર બન્યા હતા. See more બાલાસાહેબનું સપનું […]

મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે, શપથ સમારોહમાં આ નેતાઓ રહ્યા હાજર

Follow us on

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની શપથવિધિનું ભવ્ય આયોજન કરાયું છે.ત્યારે શપથવિધિમાં હાજર રહેવા દેશભરમાંથી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને નેતાઓ હાજર રહ્યા છે. ત્યારે આ શપથવિધિમાં કેટલાક ખાસ ચહેરા પર સૌ કોઈની નજર રહી છે. જેમાં NCP નેતા અજીત પવાર અને ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સમારોહનું કેન્દ્ર બન્યા હતા.

બાલાસાહેબનું સપનું આજે ઉદ્ધવ ઠાકરેએ પૂરું કર્યું છે. અને બાલાસાહેબની પ્રતિકૃતિ સમાન કહેવાતા રાજ ઠાકરે પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા. સાથે કપિલ સિબ્બલ, અહેમદ પટેલ, DMK પ્રમુખ એમ.કે સ્ટાલિન, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથ હાજર રહ્યા હતા. સુશિલ કુમાર શિંદે હાજર રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભાજપમાંથી આ નેતા રહ્યા હાજર

ભાજપમાંથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

 આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેના શપથ સમારોહમાં હાજર નહીં રહે સોનિયા ગાંધી, પત્ર લખી આપી જાણકારી

કોણ રહ્યું ગેરહાજર

ઉદ્ધવ ઠાકરે તરફથી નરેન્દ્ર મોદી અને અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ હાજર રહ્યા નહોતા. તો આદિત્ય ઠાકરે ખુદ સોનિયા ગાંધીને આમંત્રણ આપવા માટે પહોંચ્યા હતા. પરંતુ સોનિયા ગાંધીએ પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી દીધી હતી. તો બીજી તરફ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી હાજર રહ્યા નથી. તો મનમોહન સિંહે પણ પત્ર દ્વારા શુભેચ્છા પાઠવી દીધી છે. હાજર રહ્યા નથી.

ઉદ્યોગ જગતમાંથી આ લોકો રહ્યા હાજર

ઉદ્યોગ જગતમાંથી મુકેશ અંબાણી, નીતા અંબાણી પરિવાર સહિત હાજર રહ્યા હતા.

 

Published On - 1:15 pm, Thu, 28 November 19

Next Article