સુરતમાં એક તરફ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. ત્યારે લોકોને કોરોના બાબતે નિયમોનું પાલન કરવા કહેવાઇ રહ્યું છે.પરંતુ, કોરોનાના નિયમોનો ભાજપના નેતાઓ જ ભંગ કરી રહ્યાં છે.આવો ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સુરત શહેરમાં. સુરતમાં ભાજપના કોર્પોરેટર કોરોનામુક્ત થઈને ઘરે પહોંચ્યા ત્યારે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ. અહીં, સોશિયલ ડિસ્ટન્સનો સદંતર ભંગ કરીને રેલી યોજવામાં આવી. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટીના અધ્યક્ષ અમિત રાજપૂત કોરોનાગ્રસ્ત થયા હતા. કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધા બાદ તેઓ કોરોનામુક્ત થયા. જેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જોકે, રજા બાદ ઘરે પહોંચતા જ સ્વાગત વખતે નિયમોની ઐસી કી તૈસી કરી નાંખી.
આ પણ વાંચોઃ કોરોનાની કોને પડી ? રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા હીરાબજારમાં નિરસતા
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો