કરવેરા ક્ષેત્રે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, કોરોનાકાળમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યુ, કર ભરનારાની સંખ્યા અઢી કરોડ વધીઃ નરેન્દ્ર મોદી

|

Sep 20, 2020 | 11:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરવેરા સુધારા અંગે સંબોધન કરતા કહ્યું કે કર ભરતા કરદાતાની સમસ્યાઓના નિરાકરણ માટે ટેક્સ પેયર્સ ચાર્ટર રજૂ કરાયુ છે. સમગ્ર કર પ્રણાલીને ફેસલેસ કરવામાં આવી છે. પ્રમાણિક કરદાતાઓનુ સન્માન કરાય તે પ્રકારે કરવેરાના કાયદાઓમાં સુધારાઓ કરાયા છે. કરને લગતા કાયદાઓમાં સતત રિફોર્મ થતા આવ્યા છે. અને તે એકબીજાને જોડતા રહ્યાં છે. કરવેરા […]

કરવેરા ક્ષેત્રે સુધારાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, કોરોનાકાળમાં વિક્રમી વિદેશી રોકાણ આવ્યુ, કર ભરનારાની સંખ્યા અઢી કરોડ વધીઃ નરેન્દ્ર મોદી

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરવેરા સુધારા અંગે સંબોધન કરતા કહ્યું કે કર ભરતા કરદાતાની સમસ્યાઓના નિરાકરણ માટે ટેક્સ પેયર્સ ચાર્ટર રજૂ કરાયુ છે. સમગ્ર કર પ્રણાલીને ફેસલેસ કરવામાં આવી છે. પ્રમાણિક કરદાતાઓનુ સન્માન કરાય તે પ્રકારે કરવેરાના કાયદાઓમાં સુધારાઓ કરાયા છે. કરને લગતા કાયદાઓમાં સતત રિફોર્મ થતા આવ્યા છે. અને તે એકબીજાને જોડતા રહ્યાં છે.

કરવેરા ક્ષેત્રે ભારતે કરેલા સુધારાથી વિદેશી રોકાણકારોનો ભારત પ્રત્યે વિશ્વાસ વધ્યો છે કોરોનાકાળમાં પણ વિક્રમી વિદેશી રોકાણ આવ્યું છે. કરવેરા ક્ષેત્રે કરાયેલા સુધારાઓને કારણે ભારતમાં છેલ્લા છ વર્ષમાં કર ભરનારાઓની સંખ્યા 2.5 કરોડનો વધારો થયો છે. જેઓ સક્ષમ છે અને કર નથી ભરતા તેઓ સ્વૈચ્છાએ પોતાની સ્થિતિ વિચારે આત્મનિર્ભર અને ભારતના ભવ્ય નિર્માણ માટે કર ભરે તેવી અપિલ પણ વડાપ્રધાને કરી હતી.

ભૂતકાળમાં દબાણ કે મજબૂરીમાં લેવાયેલા નિર્ણયોને રિફોર્મનું નામ આપી દેવાતુ હતું. પરંતુ હવે સરકાર બદલાતા વિચારો પણ બદલાયા છે નિયમો પણ બદલાયા છે. કરવેરા ક્ષેત્રે જે કોઈ કાયદા હતા તે બ્રિટીશકાળના હતા. સમયાતરે તેમા સુધારાઓ થતા ગયા પણ મોટાભાગના એના એ જ રહ્યાં.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વર્તમાન સરકારે નાના મોટા પંદરસો કાયદાઓ કે તેની જોગવાઈઓ સમાપ્ત કરી છે. લોકોની હેરાનગતિ ઓછી થાય તે જરૂરી છે. આવકવેરા વિભાગે પણ કરદાતા ઉપર વિશ્વાસ કરવો પડશે. કરદાતાના ટેક્સથી સિસ્ટમ ચાલે છે. દેશ પ્રગતિ કરે છે. કરદાતાઓને કોઈ હેરાનગતિ ના થાય તેવા પગલા સરકાર દ્વારા લેવાયા હોવાનું કહીને વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર પ્રક્રિયા ફેસલેસ કરવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 6:40 am, Thu, 13 August 20

Next Article