સુરતના કતારગામ ખાતે એક જ્વેલર્સ 2.4 કરોડનું ઉઠમણું કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. કતારગામ ખાતે આવેલા મા શક્તિ જ્વેલર્સના પિતા પુત્ર ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયા છે. તેઓ 8 જેટલા વેપારી અને 7 ગ્રાહકોના દાગીના લઈને રફૂચક્કર થઈ ગયા છે. મા શક્તિ જ્વેલર્સના છેલ્લા 40 વર્ષથી વેપાર કરતા હતા. પરંતુ અચાનક દિલીપ સોની અને વિશાલ સોની મકાન અને દુકાનને તાળા મારીને ફરાર થઈ ગયા છે. આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે બંને આરોપી પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો