AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે માયાવતીને મોદીથી લઈ યોગી સુધી કોઈ ન રોકી શક્યાં, તેમને એક વકીલે રોડ પર લાવી મૂક્યાં, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે કંગાળ થવાના છે માયાવતી

સુપ્રીમ કોર્ટે BSP સુપ્રીમો માયાવતીને આપ્યો છે મોટો આંચકો. સુપ્રીમ કોર્ટે માયાવતીના કાર્યકાળમાં બનાવવામાં આવેલ સ્મારકો અને મૂર્તિઓ પર ખર્ચ કરાયેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. વર્ષ 2009માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી કરતા ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈએ આ આદેશ આપ્યો. અરજી પર આગામી સુનાવણી 2 એપ્રિલે થશે. માયાવતીના વકીલે સુનવણી મે […]

જે માયાવતીને મોદીથી લઈ યોગી સુધી કોઈ ન રોકી શક્યાં, તેમને એક વકીલે રોડ પર લાવી મૂક્યાં, સુપ્રીમ કોર્ટના આ ચુકાદાના પગલે કંગાળ થવાના છે માયાવતી
| Updated on: Feb 08, 2019 | 7:30 AM
Share

સુપ્રીમ કોર્ટે BSP સુપ્રીમો માયાવતીને આપ્યો છે મોટો આંચકો. સુપ્રીમ કોર્ટે માયાવતીના કાર્યકાળમાં બનાવવામાં આવેલ સ્મારકો અને મૂર્તિઓ પર ખર્ચ કરાયેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો છે.

વર્ષ 2009માં દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી કરતા ચીફ જસ્ટિસ (CJI) રંજન ગોગોઈએ આ આદેશ આપ્યો. અરજી પર આગામી સુનાવણી 2 એપ્રિલે થશે. માયાવતીના વકીલે સુનવણી મે બાદ કરવાની અપીલ કરી, પરંતુ રંજન ગોગોઈએ કહ્યું, ‘અમને કંઇક વધુ કહેવા માટે મજબૂર ન કરો, હવે આ કેસની સુનાવણી 2 એપ્રિલે થશે.’

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘પહેલી નજરે તો બીએસપી પ્રમુખે પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન સ્મારકો અને મૂર્તિઓ પર ખર્ચ કરવામાં આવેલા પ્રજાના પૈસા સરકારી ખજાનામાં પરત કરવા પડશે. તેમણે આ પૈસા પરત કરવા જોઇએ.’

SONY DSC

સુપ્રીમ કોર્ટના વકીલ અને નૉર્ધન રિજનલ ટ્રેનિંગ પ્રોગ્રામ ઑન ટ્રાફિકિંગના પ્રમુખ રવિકાંતે 2009માં માયાવતી વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી.

નોંધનીય છે કે માયાવતીએ મુખ્યપ્રધાન પદે રહેતા ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હાથી, કાંશીરામ અને માયાવતીની મૂર્તિઓ બનાવડાવી હતી. માયાવતીએ ઘણા એવા પાર્ક તથા સ્મારક પણ બનાવડાવ્યા કે જેમાં તેમની અને હાથીની મૂર્તિ હતી. આ સાથે કાંશીરામ તથા આંબેડકરની પણ અનેક મૂર્તિઓ સ્થાપવામાં આવી.

કહેવાય છે કે આ મૂર્તિ-સ્મારકો બનાવવા પર કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતાં. લખનઉ વિકાસ પ્રાધિકરણ (એલડીએ)ના રિપોર્ટ મુજબ માયાવતીએ લખનઉ, નોએડા અને ગ્રેટર નોએડામાં પાર્ક-મૂર્તિઓ પર 5,919 કરોડ રૂપિયા ખર્ચ્યા હતાં.

હાલમાં ભલે એસપી અને અખિલેશ યાદવે માયાવતી સાથે ચૂંટણી ગઠબંધન કરી લીધું હોય, પણ એક સમયે મુખ્યપ્રધાન બન્યા બાદ અખિલેશ યાદવે પણ મૂર્તિ-સ્મારકોનો વિરોધ કર્યો હતો. અખિલેશે તો માયાવતી સામે મૂર્તિ-સ્મારક બનાવવા પાછળ 40,000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ પણ લગાવ્યો હતો.

[yop_poll id=1200]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">