સુપ્રીમ કોર્ટમાં શાહીનબાગ મામલે સુનાવણી દરમિયાન દિલ્હીમાં થઈ રહેલી હિંસા પર કોર્ટે કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. પોલીસને કોર્ટે કહ્યું કે આ સ્થિતી એટલા માટે બની, કારણ કે તમે થવા દીધું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ હિંસામાં 18 લોકોના મોત થઈ ગયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોર્ટે કહ્યું કે પોલીસ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવે. પછી અમે શાહીનબાગ મુદ્દો ધ્યાને લઈશું. આ મામલાની આગામી સુનાવણી 23 માર્ચે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાર્વજનિક રસ્તા પ્રદર્શન માટે નથી. કોર્ટે ટિપ્પણી કરી કે હાલનો માહોલ આ કેસની સુનાવણી માટે યોગ્ય નથી.
આ કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ કહ્યું હતું કે પોલીસને નિરાશ ન કરો. આ સમયે પોલીસના એક કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. સુપ્રીમ કોર્ટે SG તુષાર મહેતાને કહ્યું સરકાર દરેક ઉશ્કેરણીજનક ભાષણની વિરૂદ્ધ કાર્યવાહી કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખુશખબર, સરકારના આ નવા નિર્ણયથી પેન્શનરોને થશે ફાયદો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]