સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાની અરજી પર સુનાવણી કરી હતી. પૂનાવાલાએ જમ્મુ-કાશ્મીરમાંથઈ કર્ફ્યુ હટાવવા, ફોન-ઈન્ટરનેટ અને ન્યૂઝ ચેનલના પ્રતિબંધને દૂર કરવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન સરકારને પ્રતિબંધ અંગે સવાલ પૂછ્યા હતા. સરકારે જવાબમાં કહ્યું કે, હાલત ખૂબ સંવેદનશીલ છે. અને પ્રતિબંધ તમામના હિતમાં છે. આ બાદ સુપ્રીમે કાશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવા મામલે હાલ કોઈ આદેશ આપવા પર ઈનકાર કર્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ બોપલમાં ટાંકી ધરાશાયી થવાની દુર્ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સરકારે કહ્યું કે, કાશ્મીરની સ્થિતિને લઈ તેઓ રોજબરોજ ચર્ચા કરી રહ્યા છે. કાશ્મીરમાં કોઈપણ જાનહાની સર્જાઈ નથી. અને સુપ્રીમ કોર્ટે બે સપ્તાહ માટે સુનાવણી ટાળી દીધી છે.
પૂનાવાલાએ માગ કરી હતી કે, પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા અને મહબુબા મુફ્તીને મુક્ત કરવાનો આદેશ કોર્ટે આપવો જોઈએ. તો સાથે જમીન પર ચાલતી પ્રક્રિયા પર તપાસ માટે આયોગની નિમણૂક કરવી જોઈએ.
[yop_poll id=”1″]
તહસીન પૂનાવાલા રાહુલ ગાંધીના જીજાજી રોબર્ટ વાડ્રાના બનેવી છે. રોબર્ટ વાડ્રાની બહેન મોનિકા વાડ્રા સાથે તહસીન પૂનાવાલાના લગ્ન થયા છે. તહસીન અને તેનો ભાઈ શહેઝાદ પૂનાવાલા કોંગ્રેસના નેતા પણ છે.