વેક્સિન મુદ્દે રાજ્યો આમને સામને! અરવિંદ કેજરીવાલે કહ્યું “ભારતની છબી ખરાબ થઇ રહી છે.”
અરવિંદ કેજરીવાલે એક ટ્વિટમાં કહ્યું કે ભારતીય રાજ્યો આંતરરાષ્ટ્રીય બજારમાં એકબીજાને સ્પર્ધા / લડત આપવા માટે છોડી દેવામાં આવ્યા છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે કોવિડ વેક્સિન માટે રાજ્યોના આંતરરાષ્ટ્રીય બજારમાં ઝઘડા અને સ્પર્ધા ભારતની છબીને ડામ આપે છે. તેમણે કહ્યું કે, દિલ્હી અને અન્ય ઘણા રાજ્યોમાં રસીના ડોઝના અભાવની પૃષ્ઠભૂમિમાં કેન્દ્રોએ રાજ્યો વતી વેક્સિન લેવી જોઈએ.
આમ આદમી પાર્ટી (આપ) ના અધ્યક્ષએ એક ટ્વિટમાં કહ્યું કે ભારતીય રાજ્યો આંતરરાષ્ટ્રીય બજારમાં એકબીજાને સ્પર્ધા / લડત આપવા માટે છોડી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સાથે લડી રહ્યું છે, મહારાષ્ટ્ર ઓડિશા સામે લડી રહ્યું છે, ઓડિશા દિલ્હી સાથે લડી રહ્યું છે. આમાં ભારત ક્યાં છે? ભારતની કેટલી ખરાબ ઇમેજ બની રહી છે. એક દેશ તરીકે કેન્દ્રએ તમામ ભારતીય રાજ્યો વતી રસી ખરીદવી જોઈએ.

Arvind kejriwal tweet
બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા રસી ઉત્પાદક દેશો તરફ આગળ વધશે તો ડીલ માટે વધુ શક્તિ મળશે, રાજ્યો વ્યક્તિગત રીતે આમ કરે તો વધુ ડીલ થવાની સંભાવના ઓછી છે. તેમણે કહ્યું કે ભારત સરકાર પાસે આવા દેશો સાથે વાતચીત કરવાની વધુ રાજદ્વારી સંભાવના છે. નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ અગાઉ કહ્યું હતું કે દિલ્હી વેક્સિન માટે વૈશ્વિક ટેન્ડર લગાડશે, જ્યારે ભાજપના નેતૃત્વની કેન્દ્રએ રાજ્યોને આ કરવા મજબુર કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં 100 જેટલા રસીકરણ કેન્દ્રો કોવેક્સિનનો સ્ટોક ખાલી થયા પછી બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કેરળનો કમાલ: મળેલી વેક્સિન કરતા 87 હજાર વધુ લોકોને આપી વેક્સિન, PM મોદીએ કરી પ્રશંસા
આ પણ વાંચો: જાણો ‘તારક મહેતા’ની માધવી ભાભી રિયલ લાઈફમાં શેનો કરે છે બિઝનેશ? કમાણી જાણીને આશ્ચર્ય થશે
