કાર્યકર્તાના કામ અંગે પ્રધાનોએ કરેલી નોંધ યોગ્ય છે કે નહી તે અમે કમલમાં બેઠા બેઠા ચેક કરીશુઃ સી આર પાટીલ
સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે, કાર્યકરોની નારાજગી દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. વિજય રૂપાણીની સરકારના પ્રધાનોને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રત્યેક સોમવાર અને મંગળવારે હાજર રહી કાર્યકરોના પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ કરી છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જે કાર્યકરના કામ અંગે પ્રધાન તેમના કાગળ […]
Follow us on
સૌરાષ્ટ્રના પ્રવાસે ગયેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે, કાર્યકરોની નારાજગી દૂર કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. વિજય રૂપાણીની સરકારના પ્રધાનોને ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રત્યેક સોમવાર અને મંગળવારે હાજર રહી કાર્યકરોના પ્રશ્નોનો ઉકેલ લાવવા તાકીદ કરી છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જે કાર્યકરના કામ અંગે પ્રધાન તેમના કાગળ ઉપર નોંધ કરીને આપશે તેની એક કોપી ભાજપના પ્રદેશ કાર્યલયમાં પણ આપવી પડશે. અને એ કોપી ઉપર કરેલી નોંધ અમે વાંચીશુ કે પ્રધાને કરેલી નોંધ સાચી છે કે નહી. કામ કરવાની ના પાડી છે તો કેમ ના પાડી છે, ના પાડવાના કારણ સાચુ છે કે નહી તે અમે ચેક કરીશુ.
આ પણ વાંચોઃઉકાઈમાંથી તાપીમાં છોડાયેલ પાણી સુરતના કુરુક્ષેત્ર સ્મશાનગૃહમાં ફરી વળ્યા