ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં PM મોદીએ ખેલ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા સ્ટાર સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમ લોક કલ્યાણ રોડ પર સ્થિત PM મોદીના આવાસ પર યોજાયો હતો. જેમાં શાહરૂખ, આમિર ખાન આનંદ એલ રાય સહિત અનેક હસ્તી હાજર રહી હતી.
The film fraternity comes together to pay tributes to Mahatma Gandhi!#ChangeWithin is an excellent effort, which will add momentum towards ensuring Gandhi Ji’s message reverberates far and wide. It will also inspire citizens to take up causes dear to Bapu. pic.twitter.com/cS0RRekqTd
— Narendra Modi (@narendramodi) October 19, 2019
આ પણ વાંચોઃ સલમાન ખાનના ફેવરીટ બોડીગાર્ડ શેરાએ શિવસેનાનો ખેસ ધારણ કર્યો અને બન્યા શિવસૈનિક
PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ગાંધીજી સાદગીનો પર્યાય છે. તેમના વિચાર દૂર-દૂર સુધી ગુંજ્યા છે. તેમની રચનાત્મક શક્તિ પણ અપાર હતી. ફિલ્મ અને ટેલિવિઝન જગતના લોકોએ પણ ગાંધીજીના જીવન આદર્શને લોકો સુધી પહોંચાડવાની પૂરી કોશિશ કરી છે. તો સાથે હાજર તમામ સ્ટાર લોકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દાંડીમાં ગાંધીજીના જીવન પર બનેલા સંગ્રાહલયની મુલાકાત કરવાનો અનુરોધ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Published On - 4:47 pm, Sat, 19 October 19